પરિવારજનોએ લગ્નની નાં પાડી તો સુરતના પ્રેમીપંખીડાએ કરી લીધો આપઘાત

સુરતના ડિંડોલીના સણીયા ગામમાં એક એવી ઘટના બનેલી છે જે આખા ગામ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ ગામમાં બે પ્રેમી પંખીડાએ એક સાથે આત્મહત્યા…

સુરતના ડિંડોલીના સણીયા ગામમાં એક એવી ઘટના બનેલી છે જે આખા ગામ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ ગામમાં બે પ્રેમી પંખીડાએ એક સાથે આત્મહત્યા કરી લેતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે.

આ ગામમાં રહેતા ૧૫ વર્ષીય પાયલ અને ૧૯ વર્ષીય તેજસ રાઠોડે આત્મહત્યા કરી લીધી છે. બંને ગામ પાસે આવેલી નહેર નજીક એક ઝાડ સાથે ટૂંપો બાંધી આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યા કરવાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પ્રેમી પંખીડાના લગ્ન ન થતા તેમણે મોતને વહાલું કર્યું છે. હાલમાં ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ડીંડોલી પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *