માં વિશ્વાસી મેલડીના અપરંપાર પરચા, લગ્નના 17 વર્ષ બાદ દર્શનમાત્રથી જ દંપતીના ઘરે થયો બાળકનો જન્મ

દેશમાં એવા ઘણા લોકો છે જેમને ભગવાન અને માતામાં ખૂબ શ્રદ્ધા છે. લગ્ન પછી, દંપતી તેમના પરિવારને પૂર્ણ કરવા માટે બાળકના જન્મની રાહ જોતા હોય…

દેશમાં એવા ઘણા લોકો છે જેમને ભગવાન અને માતામાં ખૂબ શ્રદ્ધા છે. લગ્ન પછી, દંપતી તેમના પરિવારને પૂર્ણ કરવા માટે બાળકના જન્મની રાહ જોતા હોય છે, કેટલાક માને છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેમનું નવું જીવન, એટલે કે, માતાપિતા તરીકે તેમનું જીવન શરૂ થાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે, લગ્નના થોડા જ વર્ષોમાં દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે, પરંતુ એવું પણ બને છે કે લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમને સંતાન નથી થતું.

ઘણા યુગલો સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખતા હોય છે. ખેરાલુના સુરેશભાઈ અને ભાવનાબેનના લગ્ન 17 વર્ષ પહેલા થયા હતા. લગ્નના 15 વર્ષ પછી પણ સુરેશભાઈ અને ભાવનાબેનને એક પણ સંતાન નહોતું. અને દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે ઘણી હોસ્પિટલોની મુલાકાત લીધી પરંતુ તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં દંપતીને કોઈ સંતાન થયું નહી. તે દરરોજ ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો હતો.

એક દિવસે એવું થયુ કે, આ દંપતિના ઘરે તેમના કોઇ જાણિતા વ્યક્તિ આવ્યા અને તેમણે આ દંપતિને માં વિશ્વાસી મેલડીની બાધા રાખવા માટે કહ્યુ. તેમણે જણાવ્યું કે, માનતા રાખવાથી માતા તમને જરૂર એક સંતાન આપશે. ભાવનાબેને તે બાદ બાધા રાખી દીધી કે, હે માં જો તમે મને બાળક આપશો તો હું મારા બાળકને લઈને તમારા દર્શન કરવા માટે આવીશ. બાધા રાખ્યાના એક જ વર્ષમાં દંપતીને 17 વર્ષ પછી એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મ બાદ દંપતી દર્શન માટે ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *