પહેલા તો ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કર્યા અને પછી શારીરિક સુખ માણી તરછોડી દીધી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નામ બદલીને મહિલા સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તેને ધર્મ બદલવા માટે મજબૂર કરવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, તેની સગીર પુત્રી પર પણ પતિએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બદલાયેલા નામનું મતદાર ઓળખકાર્ડ પણ મળી આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુડંબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, કાનપુરનો રહેવાસી ઇમરાન ખાને પોતાનું નામ સંજય ચૌહાણ જણાવ્યું હતું. ઇમરાને તેને પ્રેમની જાળમાં ફસાવી હતી. ઘણી વાર મળ્યા પછી ઇમરાને તેની સાથે સંજય ચૌહાણ નામથી લગ્ન કર્યા. લગ્ન બાદ થોડા દિવસો માટે બધુ ઠીક હતું પરંતુ તે પછી ઇમરાને તેણીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.

મહિલાનો આરોપ છે કે, જ્યારે તેણી તેનાથી છૂટાછેડા લીધા હતા, ત્યારે તેને એક પુત્રી પણ હતી. ઇમરાન તેના પર પોતાનો ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યો હતો. ધર્મ પરિવર્તન ન કરવા બદલ તેણે સગીર પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો હતો, તેની પુષ્ટિ પણ થઈ છે. મહિલાની ફરિયાદ પર ગુનો નોંધ્યા બાદ પોલીસે પુરીની પુલિયા મીટ મંડળી નજીકથી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી સંજય ચૌહાણના નામે મતદાર ઓળખકાર્ડ સાથે અન્ય ઘણા દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ડીસીપી નોર્થ ઝોન દેવેશ પાંડેના જણાવ્યા મુજબ, આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *