ઉતરાખંડ ફરી એકવાર આભ ફાટતા જ્યાં જુઓ ત્યાં સર્જાયો જળબંબાકાર- 47 લોકોના મોત

ઓક્ટોબરને હવે થોડા જ દિવસો બાકી છે અને ચોમાસાને મહિનાઓ વીતી ગયા છે. પણ કમોસમી વરસાદ છે જે જવાનું નામ નથી લઈ રહ્યો. દેશના ઘણા…

ઓક્ટોબરને હવે થોડા જ દિવસો બાકી છે અને ચોમાસાને મહિનાઓ વીતી ગયા છે. પણ કમોસમી વરસાદ છે જે જવાનું નામ નથી લઈ રહ્યો. દેશના ઘણા રાજ્યો આ કમોસમી વરસાદની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ઉત્તરાખંડ(Uttarakhand) અને કેરળ(Kerala)ની હાલત સૌથી ખરાબ છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદને કારણે ઉત્તરાખંડમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ(Heavy rain)ને કારણે ભૂસ્ખલન(Land slide)ના બનાવો પણ બન્યા છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 47 લોકોના મોત(47 deaths) થયા છે. જેમાં નૈનીતાલ(Nainital)માં મહત્તમ 25 મોત થયા છે.

ઘણા રાજ્યોના પ્રવાસીઓ ફસાયેલા છે:
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં નદીના પ્રવાહને કારણે પુલ તૂટી ગયા છે. આ કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ફસાયેલા છે. લોકોને બહાર કાવા માટે એરફોર્સ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

નૈનીતાલમાં ભારે વરસાદને કારણે હાહાકાર:
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે, નૈનીતાલ તરફ જતા ત્રણ રસ્તાઓ પર ટ્રાફિક જેવી પરિસ્થિતિ સર્જાય ગઈ છે, જેના કારણે આ પ્રવાસન સ્થળ રાજ્યના બાકીના વિસ્તારો સાથેનો સંપર્ક ગુમાવી ચૂક્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દહેરાદૂનમાં જણાવ્યું હતું કે, વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ધામીએ ખાતરી આપી હતી કે, રાજ્યમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીમાં સહાય માટે ત્રણ સૈન્ય હેલિકોપ્ટર ટૂંક સમયમાં આવશે. આમાંથી બે હેલિકોપ્ટર નૈનીતાલ મોકલવામાં આવશે. જ્યાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

વળતરની ઘોષણા:
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૂર પીડિતોને વળતર આપવાની જાહેરાત કરી છે. ઉધમ સિંહ નગરમાં પૂર પીડિતોને મળ્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘રાજ્યમાં આફતમાં 47 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને જેમના મકાનો તૂટેલા છે તેમને 1 લાખ 9 હજાર રૂપિયા આપવામાં આવશે. જેમને પશુ નુકશાન થયું છે તેમને પણ મદદ કરવામાં આવશે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બાજપુર, રામનગર, કીચા અને સિતારગંજમાં પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કરીને પૂરની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ધન સિંહ રાવત અને રાજ્યના ડીજીપી અશોક કુમાર પણ હાજર હતા.

ચારધામ યાત્રીઓને અપીલ:
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તેમને વહેલી તકે રિપોર્ટ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. લોકોને ગભરાવવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, તેમને સુરક્ષિત બહાર લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે ફરી ચારધામ યાત્રાળુઓને અપીલ કરી કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે અને હવામાન સુધરે તે પહેલા પોતાની યાત્રા શરૂ ન કરે. તેમણે ચમોલી અને રૂદ્રપ્રયાગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને ચારધામ યાત્રા રૂટ પર ફસાયેલા યાત્રાળુઓની ખાસ કાળજી લેવા નિર્દેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *