ઋષિકેશમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પલટી- એકસાથે ૬૫ મુસાફરો…

આજકાલ અકસ્માત(accident)ના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જયારે વરસાદી માહોલમાં અકસ્માતના બનાવ વધારે પડતા જ સામે આવી રહ્યા છે, આવો જ અકસ્માત ઋષિકેશ(Rishikesh) માંથી સામે આવ્યો છે. મુનિ કી રેતી વિસ્તારના પીડબલ્યુડી(PWD) તિરાહા ખાતે મુસાફરોથી ભરેલી ડબલ ડેકર બસ(Double decker bus) પલટી ગઈ હતી, જેના કારણે ત્યાં હોબાળો મચી ગયો હતો કારણ કે બસમાં 65 જેટલા મુસાફરો હતા.

આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ઓછામાં ઓછા 15 મુસાફરો ઘાયલ થયા હોવાનું જણાય છે. તમામ લોકો બલિયા અગરસંડાના રહેવાસી છે. ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ રિતેશ શાહ સહિત અનેક પોલીસકર્મીઓ સ્થળ પર હાજર હતા અને મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુરુવાર 28 જુલાઈના રોજ સાંજે થયેલા અકસ્માતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ખારા સ્ત્રોત પાસે થયેલા અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બસ અચાનક બેકાબૂ થઈને રોડ પર પલટી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 ખાનગી વાહનો દ્વારા એઈમ્સ(AIIMS) અને સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની બે ટીમોને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી અને પોલીસે અકસ્માતગ્રસ્ત બસનો નંબર UP 54T 8131 આપ્યો હતો. આ સાથે બાગેશ્વરના સંવાદદાતાએ જણાવ્યું કે કેવી રીતે જિલ્લામાં એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ.

બાગેશ્વર ખાતે NH309A નેશનલ હાઈવે પર એક પીકઅપ વાહન પલટી ગયું હતું. માનકોટ ગામ પાસે એક ટાટા પિક-અપ વાહન હાઈવે પર પલટી થયા બાદ તે નીચે બીજા રોડ પર પડ્યું હતું. આ વાહનમાં સવાર ડ્રાઇવર અને અન્ય બે વ્યક્તિનો જીવ બચી ગયો હતો, બંનેને નાની-મોટી ઇજાઓ થઇ હતી અને મોટી દુર્ઘટના થતા બચી ગઈ હોવાનું ત્યાં ઉભેલા લોકોએ જણાવ્યું હતું. ગ્રામજનોની મદદથી વાહનને ગમેતે રીતે સીધું કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *