જાણો એવું શું થયું કે, જન્મદિવસે જ માતાએ પોતાના વ્હાલસોયા દીકરાને ઉતાર્યો મોતને ઘાટ- કારણ જાણીને…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શાજાપુર(Shajapur)માં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના જ બર્થડે પર પોતાના પુત્રની હત્યા(Son’s murder) કરી અને પછી તેના મોત…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શાજાપુર(Shajapur)માં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના જ બર્થડે પર પોતાના પુત્રની હત્યા(Son’s murder) કરી અને પછી તેના મોત પર આંસુ વહાવી રહી. પરંતુ પોલીસ તપાસમાં હત્યારી માતાનો પર્દાફાશ થયો હતો. પુત્રએ માતાને પ્રેમી સાથે પલંગ પર આપત્તિજનક સ્થિતિમાં જોઈ હતી, જેના કારણે માતા ગભરાઈ ગઈ હતી અને પોતાનું રાજ જાહેર થઇ જશે તેવા ડરથી પ્રેમી સાથે મળીને પુત્રનું મોઢું ઓશીકાથી દબાવીને હત્યા કરી નાખી હતી.

આ ઘટના 3 મેની છે, જ્યારે બપોરે પોલીસને માહિતી મળી કે જતપુરા ગામમાં તેના જ ઘરમાં 12 વર્ષના છોકરા વરુણનો મૃતદેહ જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી તો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, ઉજ્જૈનમાં રહેતો સંજય નામનો યુવક બપોરે ઘરે આવ્યો હતો. તે અવારનવાર ઘરે આવતો હતો અને તેની જાણ પડોશીઓએ પોલીસને પણ કરી હતી.

કેસની તપાસને આગળ ધપાવતા પોલીસે સંજયને ઉજ્જૈનથી ઝડપી લીધો અને તેની કડક પૂછપરછ કરી તો ખબર પડી કે સંજયનું વરુણની માતા સાથે અફેર હતું. 3 મેના રોજ જ્યારે તે વરુણની માતા સાથે ઘરે હતો ત્યારે અચાનક વરુણ ઘરે પહોંચ્યો અને તેણે બંનેને વાંધાજનક હાલતમાં જોયા. વરુણ અમારા કૃત્ય વિશે બધાને કહેશે એવા ડરથી માતા અને તેના પ્રેમીએ મળીને વરુણને ઓશીકું દબાવીને તેની હત્યા કરી હતી.

જન્મદિવસના દિવસે જ માતાએ બાળકને આપ્યું મોત:
કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસે વરુણની હત્યા કરવામાં આવી હતી તે દિવસે તેનો જન્મદિવસ હતો. જન્મદિવસ હોવાથી તે તેના પિતાના ઘરેથી વહેલી બપોરે ઘરે પરત ફર્યો હતો. તે જ ઘટનાને અંજામ આપીને આરોપી માતાએ પ્રેમીને ઘરમાંથી ભગાડી દીધો હતો અને ખેતર ચાલી ગઈ હતી. ત્યારબાદ વરુણની મોટી બહેન પહોચી તો વરુણનો મૃતદેહ પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *