સુરતમાં કોરોનાના ડરથી આધેડે ઝંપલાવ્યું તાપીમાં, રીપોર્ટ આવ્યો હતો પોઝીટીવ

સુરત સહીત રાજ્યમાં કોરોના વાયરસ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. સુરતમાં રોજ રોજ કોરોના પોઝીટીવ કેસ વધતા જઈ રહ્યા છે. તે વચ્ચે જનતા પણ…

સુરત સહીત રાજ્યમાં કોરોના વાયરસ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. સુરતમાં રોજ રોજ કોરોના પોઝીટીવ કેસ વધતા જઈ રહ્યા છે. તે વચ્ચે જનતા પણ કોરોના ના ડરથી માનસિક તાણમાં જીવી રહી છે. ત્યારે સુરતના લંબે હનુમાન રોડથી બે દિવસ અગાઉ કોરોના પોઝીટીવ આવેલા એક આધેડ ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા હતા.

સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતા વિનોદ ચતુર્ભુજ નામના આધેડને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ઘરે જ સારવાર લઇ રહ્યા હતા. તેઓ સતત માનસિક તણાવમાં રહેવા લાગ્યા હતા. પરિવાર જનોનું કહેવું છે કે તેમને કોરોનાની બીમારી થઇ હોવાથી તેઓ ડર ને કરને ઘરેથી ચાલ્યા ગયા હતા અને તેઓએ એ તાપી નદીમાં કુદી આપઘાત કર્યું છે.

આધેડની લાશ કાપોદ્રા ફાયર બ્રીગેડને કુબેર અને કામનાથ મંદિર ની વચ્ચે તાપી નદી માંથી મળી આવતા કાપોદ્રા પોલીસ એ લાશ ને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક વિનોદ ચત્રભુજ ગત રોજ થી ગૂમ  હતા અને આપઘાત કરવ પહેલા તેઓએ કિનારા નજીક ના રોડ પર મોપેડ પાર્ક કરેલી હાલત માં મળી આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *