આ તારીખે ઉજવાશે રામ નવમી: જાણો શુભ મહુર્ત અને પૂજાની વિધિ

ચૈત્ર માસના શુક્લ પક્ષની તિથિએ રામ નવમી(Ram navami) ઉજવવામાં આવે છે. રામ નવમીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મર્યાદા પુરુષોત્તમ…

ચૈત્ર માસના શુક્લ પક્ષની તિથિએ રામ નવમી(Ram navami) ઉજવવામાં આવે છે. રામ નવમીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ રાજા દશરથના ઘરે થયો હતો. આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થઈ રહી છે. જાણો કયા દિવસે મનાવવામાં આવશે રામ નવમી અને ભગવાન શ્રી રામની પૂજાનો સમય.

રામ નવમી 2022 તારીખ અને શુભ સમય: 
રામ નવમી 2022 આ વર્ષે 10 એપ્રિલ 2022, રવિવારના રોજ ઉજવવામાં આવશે. નવમી તિથિ 10મી એપ્રિલે સવારે 01.32 કલાકે શરૂ થશે અને 11મી એપ્રિલે સવારે 03.15 કલાકે સમાપ્ત થશે. ભગવાન શ્રી રામની પૂજાનો શુભ સમય 10 એપ્રિલ 2022ના રોજ સવારે 11.10 થી 01.32 સુધીનો રહેશે.

રામ નવમી પૂજા પદ્ધતિ:
રામનવમીના દિવસે સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર પછી ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિઓને રોલીથી તિલક કરો, પછી ભગવાન શ્રી રામને ચોખા, ફૂલ, ઘંટ અને શંખ અર્પણ કરીને ભગવાન શ્રી રામની વિધિવત પૂજા કરો. શ્રી રામના મંત્રોનો જાપ કરો, રામાયણનો પાઠ કરો અને રામચરિતમાનસનો પણ પાઠ કરો. અંતમાં સૌની આરતી કરો. આ દિવસે ભગવાન શ્રી રામને ઝુલા પર ઝુલાવવા જોઈએ અને કોઈપણ ગરીબ અથવા બ્રાહ્મણને ઘઉં અને બાજરીનું દાન કરવું જોઈએ.

રામ નવમી 2022નું મહત્વ:
ભગવાન રામે તેમનો ચૌદ વર્ષનો વનવાસ કર્યો અને આ દરમિયાન તેમણે રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ઉપવાસ કરવાથી જીવનમાં દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ આવે છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જયારે આ વખતે ભગવાન રામ પ્રત્યેની ભક્તિ વિશેષ સ્થિતિની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *