અમે ગાય પેદા કરવાની ફેક્ટરી લગાવીશું : ગિરિરાજ સિંહ

વિવાદાસ્પદ નિવેદનો અને પાકિસ્તાન મોકલવાને કારણે કાયમ ચર્ચામાં રહેતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ફરી એક વાર તર્ક વિહીન અને રમુજી નિવેદન આપીને સૌને ચોકાવી દીધા છે. પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી ગિરિરાજ સિંહે એક કાર્યક્રમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ગર્ભાધાનના માધ્યમથી ગાયથી માત્ર ગાયો જ પેદા થશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, અમે ગાયો પેદા કરે તેવી ફેક્ટરીઓ લગાવી દઈશું.

ગિરિરાજ સિંહે જણાવ્યું કે, મારા માત્રે બે વિઝન છે. હું તમને કહી ચૂક્યો છું કે, વિદર્ભની ગાયો જે 1-2 લીટર દૂધ આપે છે. જો કે આગામી દિવસોમાં દેશની અંદર જ ગર્ભાધાન થશે અને ગાય જેને જન્મ આપશે, તે માત્ર ગાય જ રહેશે. હવે મોબ લિન્ચિંગનો સવાલ નહિ ઉદ્ભવે. રજળતા ધોરણ રૂપમાં આપણા પશુઓ ઉપયોગી બનશે. 30 લાખ ડોઝ વર્ષ 2019-20 માં ઉપયોગમાં લેવામાં આવશે. વર્ષ 2025 સુધીમાં 10 કરોડ ડોઝ વપરાશે અને 10 કરોડ ગાયો પેદા થશે. જો અમે 1 લાખ ડોઝ આપીશુ તો પણ સવા લાખ થી દોઢ લાખ કરોડનનો ફાયદો થશે. અમે ગાયની ફેક્ટરી લગાવી દઈશું.

કેન્દ્રીય મંત્રીએ આ સાથે જ જણાવ્યું કે, ઘણા લોકોને આશ્ચર્ય થશે કે ગાયની ફેક્ટરી કેવી હશે? સરોગેટ મધરના એન્ડ્રીય ટ્રાન્સપ્લાન્ટ કરીશું. અમે આ ટેક્નિક હાજી ઉપર લઇ જવા કામ કરી રહ્યા છીએ. ગિરિરાજ સિંહે જણાવ્યું કે, જે ગાય દૂધ દેવાને લાયક નહી રહે, તેની અંદર અમે 20 લીટર દૂધ આપનારી ગાયના IVFથી અને એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. એવી ક્રાંતિ લાવીશું, કે આપણા ત્યાં વિશ્વમાં સૌથી સસ્તુ દૂધ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *