નાગણનો ખૌફનાક બદલો- પરિવારે નાગને માર્યો તો, નાગણે ઘરમાં ઘુસી 12 વર્ષના બાળકને માર્યો ડંખ

ઘણીવાર એવું સાંભળવા મળે છે કે નાગ-નાગિન જોડીમાંથી એકની હત્યા થાય તો બીજી બદલો લેવા આવે છે. સિહોર (Sihor)માં પણ કંઈક આવી જ ઘટના બની…

ઘણીવાર એવું સાંભળવા મળે છે કે નાગ-નાગિન જોડીમાંથી એકની હત્યા થાય તો બીજી બદલો લેવા આવે છે. સિહોર (Sihor)માં પણ કંઈક આવી જ ઘટના બની છે. જેને નાગનો બદલો કહેવામાં આવી રહ્યો છે. ખરેખર, સાપ(Snake) કરડવાથી 12 વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના સિહોર જિલ્લાના બુધની તાલુકાના જોશીપુરાની છે. અહીં રહેતા ગ્રામીણ કિશોરી લાલના ઘરે ગુરુવારે એક સાપ નીકળ્યો હતો. પરિવારના લોકોએ મળીને આ સાપને મારી નાખ્યો હતો. સાપને માર્યા બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ત્યારબાદ 24 કલાકની અંદર જ રાત્રે એક નાગ ઘરમાં ઘૂસી ગયો અને કિશોરી લાલના 12 વર્ષના પુત્ર રોહિતને ડંખ માર્યો હતો.

સાપ કરડ્યા બાદ પરિવારજનો રોહિતને તત્કાલીકપણે હોશંગાબાદ જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી તેને ભોપાલ રિફર કરવામાં આવ્યો. પરિવારના સભ્યો બાળકને લઈને ભોપાલ જઈ રહ્યા હતા એ જ દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. માસૂમના મોત બાદ તેનું પીએમ કરાવી લાશ સ્વજનોને સોંપવામાં આવી છે. બાળકના મોત બાદ ગામલોકોએ રાત્રે સાપ શોધી કાઢ્યો અને તેને પણ મારી નાખ્યો. આ ઘટનાને સાપના બદલો સાથે જોડવામાં આવી રહી છે. નાગણે બદલો લીધો હોવાની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *