માનતા પૂરી કરાવવા દસ હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોચ્યો યુવક, ત્યારે મણીધર બાપુએ જે કહ્યું સાંભળી સૌ કોઈ ચોંકી ઉઠ્યા

મોગલ માં ના પરચા અપરંપાર છે. મા મોગલના માત્ર દર્શન થઇ જાય એટલે ભક્તો ધન્ય થઈ જાય છે અને કહેવામાં આવે છે કે, જે કોઈ…

મોગલ માં ના પરચા અપરંપાર છે. મા મોગલના માત્ર દર્શન થઇ જાય એટલે ભક્તો ધન્ય થઈ જાય છે અને કહેવામાં આવે છે કે, જે કોઈ ભક્તો મા મોગલ મંદિરે દર્શન કરવા માટે આવે છે. તેઓ માં મોગલના આશીર્વાદથી હસતા મોઢે ઘરે પાછા ફરે છે. આ સાથે જો સાચા દિલથી મા મોગલ ને માનવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે તો મા મોગલ બધા ભક્તોને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

મોગલ માનો મહિમા અપરંપાર છે. માત્ર એટલું જ નહીં પરંતુ મા મોગલના આજ દિન સુધી લાખોની સંખ્યામાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 10000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોચે છે.

કહેવામાં આવે છે કે, લોકો પણ મા મોગલ પર વિશ્વાસ અને શ્રધ્ધા રાખીને મા મોગલની માનતાઓ માનવામાં આવતી હોય છે અને તમે પણ આ પરચા વિશે સાંભળીને માં મોગલ પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસ બંધાઈ જશે. ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 10,000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યો હતો.

સૌ ભક્તો જાણે જ છે કે, કબરાઉ ધામ મા મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. મા મોગલ પર શ્રદ્ધા રાખીને મોગલ માં ની માનતા માનવામાં આવે તો મા મોગલ અવશ્ય બધી જ માનતાઓ પૂર્ણ કરે છે. ત્યારે મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું હતું કે માં મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટ ની જરૂર નથી. વધુમાં કહ્યું હતું કે, એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવામાં આવે છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી મા મોગલ ની શરૂઆત થાય છે અને એ માં મોગલ બધા ભક્તોને હંમેશા સુખી અને હસતા રાખે છે.

મણીધર બાપુએ એક યુવકને આશીર્વાદ આપ્યા હતા અને દસ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને દસ હજાર રૂપિયા પરત આપ્યા હતા અને કહ્યું કે, આ પૈસા તું તારા ફઈને આપજે મા મોગલ એ તારી 101 ગણી માનતા સ્વીકારી છે અને મા મોગલ ખુશ થશે આ કોઈ ચમત્કાર ન માનતા તમે મા મોગલ પર વિશ્વાસ અને શ્રધ્ધા રાખી છે એ જ તમને ફળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “માનતા પૂરી કરાવવા દસ હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોચ્યો યુવક, ત્યારે મણીધર બાપુએ જે કહ્યું સાંભળી સૌ કોઈ ચોંકી ઉઠ્યા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *