ફ્રિજના ઠંડા પાણીના 5 નુકસાન: જાણી લેશો તો ભરઉનાળે પણ પીવાનું નામ નહીં લો

Cold Water Side Effects: ગરમીથી રાહત મેળવવાનો સરળ રસ્તો ઠંડુ પાણી છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોય કે ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન (Cold Water Side Effects) થાય છે. ઠંડા પાણીથી સૌથી વધુ નુકસાન પાચનતંત્રને થાય છે. તેથી પાચકસ્ત્રાવ છૂટા પડવામાં અવરોધ ઊભો થાય છે અને તમારા શરીરને લાંબા ગાળે નુકસાન કરે છે. ઠંડું પાણી કેમ ન પીવું જોઇએ તેના અહીં કારણો આપવામાં આવ્યા છે.

પાચનતંત્રને અસર કરે છે
પાચનતંત્રને અસર થાય છે. નિષ્ણાતો જણાવે છે કે ઠંડા પાણી અને ઠંડા બેવરેજિસથી તમાર રક્તવાહિની સંકોચાઈ જાય છે. તેનાથી સમગ્ર પાચનતંત્રને અસર થાય છે. પાચન દરમિયાન પોષક તત્વો મેળવવાની સમગ્ર પ્રક્રિયા સામે અવરોધ ઊભો થાય છે. તમારું શરીર પાચન પર ફોકસ કરવાની જગ્યાએ શરીરનું તાપમાન જાળવી રાખવા પર ફોકસ કરે છે. શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સીયસ હોય છે અને તેનાથી વધુ ઠંડુ પાણી તમારા શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે. તેથી રૂમના તાપમાન જેટલું હુંફાળું પાણી હિતકારક છે.

ઠંડુ પાણી પીવાથી ગળામાં સમસ્યાઓ થઈ શકે છે
ગળાની સમસ્યા ઠંડુ પાણી ન પીવાનું બીજુ કારણ ગળાની વિવિધ સમસ્યા છે. તેનાથી ગળામાં કફ જામે છે અને શરદી થઈ શકે છે. ખાસ કરીને ભોજન પછી ઠંડુ પાણી પીવાથી વધુ પડતી કફ જામે છે. જે તમારા શ્વસનતંત્રને સીધી અસર કરે છે. શ્વસનતંત્રમાં કફ જામી જવાથી વિવિધ ઇન્ફેક્શન થાય છે. ખોરાકમાંથી છૂટી પડતી ચરબીના પાચનમાં મુશ્કેલી નિષ્ણાતો જણાવે છે કે ભોજન પછી ઠંડુ પાણી પીવાથી ખોરાકમાંથી છૂટી પડતી ચરબી વધુ ઘટ્ટ બને છે. તેથી શરીરમાં તેનું પાચન મુશ્કેલ બને છે અને શરીરમાં બિનજરૂરી ચરબી જામે છે. તેથી ભોજન બાદ ઠંડુ પાણી પીવાનું હંમેશા ટાળવું જોઇએ.

હૃદયના ધબકારાની ગતિ ઘટી શકે છે
વિવિધ અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઠંડા પાણીથી હૃદયના ધબકારની ગતિ ઘટી શકે છે. આઇસ વોટરથી કપાળની નસો ઉત્તેજિત થાય છે. આ નસો ચેતાતંત્રનો મુખ્ય હિસ્સો છે અને પાચનક્રિય, શ્વસનક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનાથી હાર્ટરેટમાં ઘટાડો થાય છે. શોક ફેકટર કસરત બાદ ક્યારેય ચીલ્ડ વોટર ન લેવું જોઇએ. જિમ એક્સપર્ટ જણાવે છે કે વર્કઆઉટ બાદ એક ગ્લાસ હુંફાળું પાણી વધુ આરોગ્યપ્રદ છે. તમે કસરત કરો ત્યારે શરીરમાં ઘણી ગરમી ઉત્પન્ન થાય છે. આ પછી તમે આઇસ કોલ્ડ વોટરનું સેવન કરો તો શરીરના તાપમાનમાં વિસંગતતા ઊભી થાય છે. તમારું શરીર ઠંડા પાણી સાથે સંતુલન ઊભુ કરવામાં મુશ્કેલી પડે છે. વર્કઆઉટ પછી ઠંડા પાણીથી પેટમાં દુઃખાવો ઊભો થઈ શકે છે, કારણ કે આઇસ વોટર તમારા શરીરમાં શોક ઊભો કરે છે.

માથાનો દુખાવો થઈ શકે છે
ગરમીથી સીધા આવ્યા પછી ઠંડુ અથવા બરફનું પાણી પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે. ઠંડુ પાણી પીવાથી કરોડરજ્જુની ઘણી ચેતા ઠંડી પડે છે, જેનાથી મગજ પર અસર થાય છે અને માથાનો દુખાવો થાય છે. આ સ્થિતિ સાઇનસથી પીડિત લોકો માટે સમસ્યા બની શકે છે.

વજન વધી શકે છે
જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ. ઠંડા પાણીને કારણે શરીરમાં રહેલી ચરબીને બાળવી મુશ્કેલ બની જાય છે. શરીરની ચરબી ઠંડા પાણીથી સખત થઈ જાય છે, જે તમારા માટે વધુ મુશ્કેલ બનાવી ઉભી કરી શકે છે.

ઠંડુ પાણી પીવાનું સત્ય શું છે?
નિષ્ણાતો કહે છે કે ઉનાળામાં જ્યારે વ્યક્તિ અચાનક ઠંડુ પાણી પીવે છે તો તેની ઘણી આડઅસર થઈ શકે છે. સંમત છીએ કે ઉનાળામાં રાહત માટે શરીરને ઠંડી વસ્તુઓ અને ઠંડા પાણીની જરૂર છે, પરંતુ જો તમે અચાનક વધુ ઠંડુ પાણી પીશો તો તે તમારી ધમનીઓને નુકસાન પહોંચાડી શકે છે. ખરેખરમાં, ઠંડુ પાણી પીવાથી ધમનીઓમાં અચાનક વાસોસ્પેઝમ થાય છે, જેના કારણે વિપરીત પરિણામો આવે છે. બીજી તરફ જો તમે ઠંડા પાણીથી સ્નાન કરો છો તો પણ તમારા સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે.

વાસોસ્પેઝમ શું છે?
વાસોસ્પઝમ એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિની રક્તવાહિનીઓ સંકુચિત થાય છે. તેની સાથે લોહીના પ્રવાહમાં પણ અવરોધ આવે છે. વાસોસ્પઝમના ઘણા પ્રકારો છે, જેમ કે કોરોનરી વાસોસ્પઝમ, સેરેબ્રલ વાસોસ્પેઝમ, સ્તનની ડીંટડી વાસોસ્પઝમ અને હાથ અને અંગૂઠામાં વાસોસ્પેઝમ. આમાંથી, કોરોનરી વાસોસ્પેઝમ મોટે ભાગે શરદીને કારણે થાય છે. એટલા માટે ઉનાળામાં ઠંડા પાણીનું સેવન ટાળવાનો પ્રયાસ કરો.