બહેનને વીડિયો કોલ કરી સગા ભાઈએ ગળેફાંસો ખાધો- બહેન પણ ‘મુક પ્રેક્ષક’ બનીને જોતી રહી મોતનો તમાસો

હમણાં જ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર પિતાના ઠપકાથી નારાજ થઈને એક યુવકે ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. તેની જ એક…

હમણાં જ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર પિતાના ઠપકાથી નારાજ થઈને એક યુવકે ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. તેની જ એક બહેન વિડિયો કૉલ પર પોતાની આંખોથી આ દ્રશ્ય જોતી રહી હતી, પરંતુ ગણતરીની સેકન્ડમાં જ ભાઈ તડપી તડપીને મોતને ભેટ્યો હતો.

ખરેખર, વોર્ડ નંબર 11માં રહેતા એક યુવકે તેની બહેનને વીડિયો કોલ કરીને નશાની હાલતમાં આપઘાતનું જણાવી, ગળેફાંસો ખાધો હતો. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

જાણવા મળ્યું છે કે, 25 વર્ષીય આ યુવકે તેની બહેનને વીડિયો કોલ કરીને કહ્યું હતું કે, ‘બહેન, આજે હું આપઘાત કરી લઈશ.’ ત્યારબાદ યુવક પલંગ પર ખુરશી રાખીને પંખા સાથે ફાંસો બાંધી રહ્યો હતો અને તે ફંસામાં પોતાની ગરદન નાંખી રહ્યો હતી, તે જ દરમિયાન તેનો પગ લપસી જતાં ખુરશી પલંગ પરથી નીચે પડી ગઈ હતી અને ફાંસો ગાળામાં ફસાઈ ગયો હતો. ત્યારે જ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ રડતાં રડતાં યુવતીએ તેના પરિવારજનોને જણાવ્યું હતું. તેની બહેને વિચાર્યું કે ભાઈ મજાક કરી રહ્યો છે, તેને ડરાવી રહ્યો છે, પરંતુ હવે તો બહેને તેનો ભાઈ ગુમાવી દીધો છે.

ભાઈનું મોત નજરે જોઈ રહેલી બહેને સંબંધીઓ અને પડોશીઓને આ અંગે જાણ કરી અને લોકો ઘરે આવ્યા ત્યાં સુધીમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પાડોશમાં રહેતા લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, યુવકના પિતાને રાયપુર જવાનું હતું. યુવક નશાની હાલતમાં તેના પિતાને બસ સ્ટેન્ડ સુધી છોડી ગયો હતો, ત્યારબાદ તે ઘરે પરત ફર્યો હતો. ઘરે આવ્યાના થોડા સમય બાદ તેણે તેના પિતાને ફોન કર્યો અને કહ્યું કે તમે રાયપુર પહોંચી ગયા છો, પરંતુ અસંવેદનશીલ હોવાને કારણે પિતા ગુસ્સે થઈ ગયા અને તેણે પુત્રને ઠપકો આપ્યો. આનાથી દુઃખી થઈને યુવકે તેની બહેનને વીડિયો કોલ કર્યો અને તેને એ પણ જણાવ્યું કે પિતાએ તેને ઠપકો આપ્યો હતો.

મળેલી માહિતી અનુસાર પાંચ બહેનોમાં આ યુવક એકમાત્ર પુત્ર હતો. મૃતકના પિતા સંબંધીઓ પાસેથી તેના મૃત્યુના સમાચાર સાંભળીને અધવચ્ચે પાછા ફર્યા. પરંતુ જે થયું તેનાથી પરિવારમાં શોકના કાળા વાદળો છવાયા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે, આ યુવક કરિયાણાની દુકાન ચલાવતો હતો. પરિવારે કોઈપણ પ્રકારના તણાવ અને પૈસાની સમસ્યા જેવી બાબતોને પણ નકારી કાઢી હતી. પોલીસનું કહેવું છે કે ઘટનાના આ ક્રમ અંગે સંબંધીઓના નિવેદન લેવામાં આવશે, પોસ્ટમોર્ટમથી મૃત્યુનું કારણ પણ જાણવા મળશે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *