હચમચાવી દેતી ઘટના- પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બે બાળકો સાથે કુવામાં લગાવી મોતની છલાંગ

છોટાઉદેપુર(Chhotaudepur): હત્યા(Murder) તેમજ આપઘાતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. એવામાં વધુ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક માતાએ પોતાની બે દીકરી સાથે કૂવા (Well)માં મોતની છલાંગ લગાવી છે. બનાવમાં બંને દીકરીઓના મોત થયા છે, જ્યારે માતાનો બચાવ થયો છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, વર્ષાબેન સલાટ નામની મહિલાએ રાણી બંગાલ સંકૂલમાં આવેલા એક કૂવામાં પોતાના બે સંતાનોને ફેંકી દીધા હતા. બાદમાં પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. વર્ષાબેને સાડા ત્રણ વર્ષની દિવ્યા અને એક વર્ષની પુત્રી અંજલીને સાથે લઈને કૂવામાં મોતની છલાંગ લગાવી દીધી હતી.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, પતિ સાથે બોલાચાલી થયા બાદ વર્ષાબેન પોતાની બંને દીકરીઓ સાથે ઘરેથી નીકળી ગયા હતા અને કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી, તેમજ પાલિકાએ કૂવામાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં મહિલાનો બચાવ થયો હતો, જયારે પાલિકાએ ભારે જહેમત બાદ બંને બાળકોઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પતિ સાથે ઝઘડા બાદ પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું:
આ મામલે વર્ષાબેને જણાવ્યું હતું કે, “મારો અને મારા પતિનો સામાન્ય વાતમાં ઝઘડો થયો હતો. જે બાદમાં હું બંને દીકરીઓને લઈને અહીં આવી હતી. બંને દીકરીઓને સાથે લઈને જ હું કૂવામાં કૂદી હતી.” હાલ બંને દીકીઓના મોત નીપજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *