ગુજરાત: પાણી ના બગડવાની સલાહ આપતા વ્યક્તિને પાવડે-પાવડે મારી…

ખલતાગરબડીમાં રહેતા ગોબરભાઇ ભુરીયા તથા તેમના ભાઇ સુરસીંગભાઇ ભુરીયાના બનેના સંયુક્ત માલિકીના કુવા ઉપર આવેલ પાણીની ટાંકીમાં ઢોર-ઢાંખરને પીવા માટે પાણી ભર્યું હતું. સુબેશ અનસીંગ…

ખલતાગરબડીમાં રહેતા ગોબરભાઇ ભુરીયા તથા તેમના ભાઇ સુરસીંગભાઇ ભુરીયાના બનેના સંયુક્ત માલિકીના કુવા ઉપર આવેલ પાણીની ટાંકીમાં ઢોર-ઢાંખરને પીવા માટે પાણી ભર્યું હતું. સુબેશ અનસીંગ વાખલા અને તેના પિતા અનસીંગ રામુ વાખલા આ ટાંકીમાં ઢોર-ઢાંખર માટે ભરેલા પાણીનો બગાડ કરતા હતા.

જેથી ગોબરભાઇના ભત્રીજાએ વિજયભાઈ ભુરીયાને જણાવતા કહ્યું કે, તમે ટાંકીના પાણીનો બગાડ નહી કરતા તેમ કહેતા બન્ને પિતા-પુત્ર વિજયને ગડદા-પાટાનો માર મારવા લાગ્યા હતા અને આ કુવો અમારો છે તો તુ કેમ અમને ના પાડે છે.

એમ કહેતા વિજયભાઈએ બુમ પાડતાં ગોબરભાઇ દોડી આવ્યા અને તેમને ઝઘડો કરવાની ના પાડતા સુબેશે પીઠના પાછળના ભાગ પર પાવડો મારી દેતા ચક્કર ખાઇ નીચે પડી ગયા હતા. બન્ને પિતા-પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપીને રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે ધાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *