ગોધરાની અજીબો-ગરીબ ઘટના: ‘ખેતરમાં હતો ત્યારે 2 ભૂતે મને મારી નાખવાની ધમકી આપી’, યુવક માનસિક રીતે બીમાર હોવાનું ખૂલ્યું

પંચમહાલ જિલ્લાના જોટવડ ગામના અરજદાર વરસંગભાઈ બારીયાએ જાંબુઘોડા પોલીસ મથકમાં લેખિત અરજી આપી જણાવ્યું હતું  કે, ખેતરમાં કામ કરતી વખતે ભૂતોની ટોળકી આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આવીને વરસંગભાઈ જાન બચાવવાની માંગણી કરી હતી. સમગ્ર મામલે જાંબુઘોડા પોલીસ દ્વારા અરજદારે આપેલી અરજી સ્વીકારવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ફરિયાદી વરસંગ બારીયા માનસિક રીતે બીમારી છે.

જો કે, પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીની જાણ પરિવારજનો ન હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે માનવતા દાખવીને અરજદારને યોગ્ય સારવાર મળી રહે તે અંગે માનસિક રોગના નિષ્ણાંત સાથે સંપર્ક કરાવવામાં આવી રહી છે.

જાંબુઘોડા પોલીસ મથકે અરજી આવેલી કે અરજદારને ભૂતોની ટોળકીમાંથી બે ભૂતોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. પોલીસ મથકે કોઇપણ અરજી આપે તેની તપાસ કરવી પડે જેથી આ અરજીની તપાસ કરતાં અરજદાર માનસિક તકલીફવાળો હોવાનું જાણવા મળ્યું હતું.

વરસંગ છેલ્લા 1 વર્ષથી માનસિક રોગથી પીડાઈ છે. તેવું તેમના પરિવારજનોએ જણાવ્યું છે. તેમજ તે રોગ અંગેની સારવાર પણ હાલ ચાલી રહી હોવાનું અરજદારના ભાઇ મહેશ બારીયાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *