પાણીથી ભરેલી ડોલ દોઢ વર્ષના બાળક માટે બની મોતનું કારણ- જાણો કયાની છે કરુણ ઘટના

દેશમાં અકસ્માતથી થતા મૃત્યુની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. કેટલાક લોકો અકસ્માતમાં તો કેટલાક લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી ઘટના હાલના સમયમાં અવારનવાર સામે આવી રહી છે. આ દરમિયાન એક એવી ઘટના સામે આવી છે જેમાં એક દોઢ વર્ષનું બાળક પાણીની ડોલમાં ડૂબી જતા મૃત્યુ પામ્યું હતું.

હાલમાં બે બનાવમાં એક દોઢ વર્ષના બાળક અને એક મહિલાનું મોત નિપજ્યાની પોલીસને જાણ થઇ છે. જામજોધપુરના તાલુકાના એક ગામની સીમમાં રહેતાં અને મજુરી કામ કરતા કાંતીયા ગુલ્લાભાઈ ભુરીયાનો દોઢ વર્ષનો પુત્ર ઈશ્વર ગઈ કાલે એટલે કે, તા.20ના રોજ સવારે વાડીએ રમતો હતો અને રમતા-રમતા પાણીની ભરેલ ડોલમાં પડી જતા ડુબી ગયો અને મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટી શેરીનં-4માં વસીલા મીલવારી શેરીમાં રહેતા મલેકાબેન અસગરઅલી અકબરઅલી ચક્કા જેમની ઉંમર 45 છે. આ મહિલા ગઈ કાલે તા.2ના રોજ પોતાના ઘરે રસોડામાં રસોઈ બનાવતી હતી. આ દરમીયાન ઓચિંતા પહેરેલ કપડામાં આગ લાગતાં શરીરે દાજી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આ મહિલાનું મૃત્યુ નિપજ્યાનું આજે પોલીસમાં જાહેર થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *