ટ્રક ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લેતાં 17 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

સિહોરમાં પાલિતાણાથી ભાવનગર સ્કૂટર પર આવેલા 3 સવારીમાં આવી રહેલા યુવકનું એક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 વર્ષના સગીરનું મોત થયું હતું. જયારે અન્ય બે યુવાનોને સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

પોલીસને મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના પાલિતાણામાં રામ સોસાયટીમાં રહેતો ધ્રુવરાજ જયુભા રાણા તથા તેનાં બે મિત્રો જયદિપ ચંદુભાઈ મકવાણા અને જય ગોરધનભાઈ સોલંકી સવારે સ્કૂટર લઈને ખરીદી કરવા ભાવનગર આવી રહ્યાં હતાં.

તે દરમિયાન સિહોર પહોંચતા દાદાની વાવ નજીક એક ટ્રકની બેદરકારીથી સ્કૂટર સવાર યુવાનો સાથે અથડાતા ધ્રુવરાજ ટ્રકના વ્હીલમાં આવી જતાં સગીરના પેટ પરથી વ્હીલ ચાલી જતા સગીરનું મોત થયું હતું.

જયારે જયદિપ તથા જયને ગંભીર ઈજા થતાં તત્કાળ સારવાર માટે પહેલા સિહોર સીએચસી સેન્ટરમાં ત્યારબાદ ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક છોડીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ મૃતકના કાકાએ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *