મોરબીમાં ટ્રેનની અડફેટે આવતા 2 યુવકના દર્દનાક મોત, પરિવારજનો સહીત સમગ્ર પંથકમાં છવાયો માતમ- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): મોરબી(Morbi)ના રફાલિયા(rafaliya) પાસે ટ્રેનની અડફેટે બે યુવાનોના કરુણ મોત(Two young people died) થયા હોવાની માહિતી મળતાં જ આજુબાજુના લોકો દોડી ગયા હતા. સમગ્ર ઘટના…

ગુજરાત(Gujarat): મોરબી(Morbi)ના રફાલિયા(rafaliya) પાસે ટ્રેનની અડફેટે બે યુવાનોના કરુણ મોત(Two young people died) થયા હોવાની માહિતી મળતાં જ આજુબાજુના લોકો દોડી ગયા હતા. સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો મોરબીમાં રફાલીયા નજીક રાત્રીના ટ્રેનની અડફેટે બે યુવાનોના આવી ગયા હોવાની માહિતી મળતાંની સાથે જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતાની સાથે જ પોલીસની ટીમ દોડી જઇને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.

વાત કરવામાં આવે તો તો મૃતકના પરિવારજનો પાસેથી જણકારી મળી હતી કે, મૃતક યુવાનો 17 વર્ષીય સચિન હિતેશભાઈ ચૌહાણ અને 18 વર્ષીય મેહુલ મનસુખભાઈ મકવાણા હોવાનું જણાવ્યું હતું. તો વધુમાં જણાવતા કહ્યું હતું કે, સચિને થોડા સમય અગાઉ ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને બુધવારના રોજ નોકરી પર જવાનું નક્કી કર્યું હતું.

જયારે તેના મિત્ર મેહુલ પણ સાથે કામે જવાના નીકળ્યા હતા. તો કોઈ કારખાનામાં ગયા હતા ગુરુવાર રાત્રીના ઘરેથી કામે જવાનું કહી નીકળ્યા પછી આ ઘટના ઘટી હતી. માઠાં સમાચાર મળતાંની સાથે જ પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *