અમરેલીમાં સર્જાયેલ કરુણ અકસ્માતમાં કારનો છૂંદો બોલી ગયો, પિતા-પુત્રના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): હાઇવે માર્ગો પર બેફામ ગતિએ દોડી રહેલા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના મોટા માર્ગ અકસ્માત(Accident)ના સામે આવતા રહેતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ…

ગુજરાત(Gujarat): હાઇવે માર્ગો પર બેફામ ગતિએ દોડી રહેલા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના મોટા માર્ગ અકસ્માત(Accident)ના સામે આવતા રહેતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ અમરેલી(Amreli)ના જાફરાબાદ(Jafarabad) તાલુકામાં મીતીયાળા-લુણસાપુર(Mitiyala-Lunsapur) વચ્ચે સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર કાર અને ટ્રક વચ્ચે દર્દના અકસ્માત સર્જાતા કારમાં સવાર પિતા પુત્રના કરુણ મોત નિપજયા હતા. જેમાં મૃતકો રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે, અમરેલીના જાફરાબાદ તાલુકાના મીતીયાળા અને લુણસાપુર વચ્ચે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મહિપતસિંહ ગોહિલ અને તેમના પુત્ર ધર્મરાજસિંહ કારમાં સવાર થઈ જાફરાબાદ બાજુ જઈ રહ્યા હતા. ત્યારે સામે આવી રહેલા ટ્રકના ચાલકે કારને જોરદાર ટક્કર મારી અડફેટે લેતા કારના ભુક્કા બોલી ગયા હતા. અકસ્માતમાં કારમાં સવાર પિતા પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં કારનો ભુક્કો બોલી જતાં કારમાં ફસાઈ ગયેલા પિતા પુત્રના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *