સુરતના ડીંડોલીમાં 21 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ મોતને કર્યું વ્હાલું- આપઘાતનું કારણ…

સુરત(Surat): શહેરમાં જેમ ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, તેમ સુરતમાં હવે આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતમાં કોઈને કોઈ વિસ્તારમાંથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરતના ડીંડોલી(Dindoli) વિસ્તારમાં 21 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત(suicide) નું કારણ હજી અકબંધ છે. ડીંડોલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

શહેરનના ડીંડોલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય વિધાર્થીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું છે. મળતી માહિતી અનુસાર વિધાર્થી પી. ટી. સાયન્સ કોલેજ(P. T. College of Science)માં bscના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. વિધાર્થીએ પંખા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. સમગ્ર ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, વિધાર્થીએ શા માટે, શા કારણે આપઘાત કર્યો તે અંગેની કોઈ પણ પ્રકારની માહિતી હજુ મળી નથી. મૃત્યુ પામેલા વિધાર્થીનું નામ જીજ્ઞેશ પાત્રે હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ ઘટના અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે ખુલાસામાં જ ખબર પડશે કે શા માટે વિધાર્થીએ મોતને વ્હાલું કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *