અમરેલીનો કુંકાવાવ હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો- ટ્રક અને બાઈકનું અકસ્માત થતા 3 લોકોને ભરખી ગયો કાળ

ગુજરાત(Gujarat): અમરેલી(Amreli) જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન જિલ્લામાં બનેલી જુદી જુદી અકસ્માત(Accident)ની ઘટનામાં 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. ગઈકાલે કુંકાવાવ હાઈવે પર ટ્રકચાલકે એક બાઈક સવાર દંપતી અને તેની બાળકીને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ગંભીર અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળ પર ટ્રક પણ પલટી મારી ગયો હતો.

અમરેલી જિલ્લાનો કુંકાવાવ હાઈવે ગઈકાલે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રકચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા દંપતી અને તેની પુત્રીના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ટ્રક અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ઘટનાસ્થળ પર જ પલટી મારી ગયો હતો.

અકસ્માતમાં ટ્રક પલટી જતા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાઈક પર જઈ રહેલા દંપતી અને બાળકીનું કરુણ મોત નિપજતાં ત્રણેય મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ મેળવવા માટે વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્રણેય મૃતકો પરપ્રાંતીય શ્રમિકો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામા આવ્યું છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 10 લોકોનાં મોત:
અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અકસ્માતના ખુબ જ બનાવો બની રહ્યા છે. બે દિવસ પહેલા સાવરકુંડલા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોનાં કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે બીજો બનાવ બગસરા નજીક ત્રિપલ અકસ્માતનો બન્યો હતો જેમાં 2 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ત્યારબાદ ત્રીજો બનાવ ખાંભા નજીક બન્યો હતો જેમાં એક વ્યકિતનું કરુણ મોત નિપજ્યું હતું. આજે ચોથો બનાવ બનતા તેમાં ત્રણ લોકોના મોત નીપજતા હાઈવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *