ગુજરાત: પુરઝડપે જઈ રહેલ કાર બેકાબુ થતા રોડ સાઇડ પિલર સાથે અથડાતાં 3 વ્યક્તિના થયા કરુણ મોત 

માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.ગુજરાતમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

હિંમતનગર શામળાજી હાઇવે પર બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ શામળાજી તરફથી હિંમતનગર બાજુ આવી રહેલ સ્કોર્પિયો નં.GJ-27-AP-4486 રોડ સાઈડના પિલર સાથે અથડાયા પછી ધડાકાભેર પલટી મારી ગઈ હતી તેમજ અંદર બેઠેલ કુલ 6 મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જેના પૈકી કુલ 3 લોકોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તથા કુલ 3 ઇજાગ્રસ્ત લોકોને 108માં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આની સાથે જ કુલ 3 મૃતકોના મૃતદેહ ગાંભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

સ્કોર્પિયોના ડેશબોર્ડ પરથી પોલીસ લખેલ પ્લેટ પણ જોવા મળી હતી. મૃતકોનાં નામ કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા તથા પપ્પુ મામા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. આની સાથે જ બધાં જ લોકો અમદાવાદમાં આવેલ અમરાઇવાડી વિસ્તારના હોવાનું તેમનાં પરિવારજનોના આવ્યા બાદ ઓળખ થવાનું પોલીસે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *