કોરોના સામે લડશે ગુજરાતના બાળકો: 15થી 18 વર્ષનાં 30 લાખ બાળકોને અપાશે વેક્સિન- જાણો ક્યાં આપી શકશે?

રાજ્યમાં કોરોના ફરી એક વખત વકરી રહ્યો છે, ત્યારે પીએમ મોદી(PM Modi)ની જાહેરાત મુજબ જાન્યુઆરીના પહેલા સપ્તાહથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાને લઈને આજે આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ(Manoj Agarwal) દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં બાળકોના વેક્સીનેશન(Vaccination)ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય વિભાગની બેઠકમાં પુરી થયા પછી મનોજ અગ્રવાલે એક પ્રેસ કોન્ફન્સ કરીને જણાવતા કહ્યું છે કે રાજ્યમાં 34 લાખ કરતા વધુ બાળકો હોવાનો એક પ્રાથમિક અંદાજ છે. તમામ જગ્યાઓએ કેમ્પના સ્વરૂપમાં કામગીરી યોજવામાં આવશે.

આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવતા કહ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય સચિવ સાથે વેક્સિનેશન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને રસી મુદ્દે ખાસ પ્રકારની વાતચીત કરવામાં આવી છે. હાલમા સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તમામ બાળકોની સાથે સાથે સીનિયર સીટિઝનને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે તે પ્રકારની વાતચીત પણ થઇ છે. વેક્સિનના બંને ડોઝ લીધાના 9 મહિના બાદ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે. સરકાર આ બૂસ્ટર ડોઝ તમામને ફ્રીમાં આપવામાં આવશે તે પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, હેલ્થ, ફ્રન્ટ લાઈન વોરિયર્સને 39 સપ્તાહ બાદ પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. 60 વર્ષથી વધુના કોમોરબીડ દર્દીઓને જ પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. જ્યારે બાળકો માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઇ જશે અને બાળકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ રહેશે. જેમાં રાજ્યના 34 લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે. તંત્ર દ્વારા બાળકોને વેક્સિન આપવા શાળાઓમાં જઈને કેમ્પ કરવામાં આવશે. આ સાથે સાથે જુદા જુદા જિલ્લાઓમાં કેમ્પ કરવામાં આવશે. જેના માટે જિલ્લાના અધિકારીઓ દ્વારા પ્લાનિંગ કરવામાં આવશે.

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું છે કે, બાળકોને સુરક્ષિત રાખવા માટે મોટા પાયે વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે બાળકોને કોવેકસીન આપવામાં આવશે જેનો જથ્થો હાલ સરકાર પાસે ઉપલબ્ધ છે. પરંતુ પ્રિકોશનરી ડોઝ બાબતે હજુ સરકારમાં વિચારણા ચાલી રહી છે કે ક્રોસ ડોઝ આપી શકાય કે કેમ તે વિશે. રાજ્યમાં હેલ્થ કેર વર્કર 3 લાખ અને ફ્રન્ટ લાઈન વર્કર 3.19 લાખ જેટલા છે. જ્યારે 60 વર્ષથી વધુ વયના 37 હજાર લોકો એલિજીબલ થશે અને સરકાર પાસે આજની તારીખે 45 લાખ જેટલા ડોઝ ઉપલબ્ધ છે.

તેમણે એક વાત પણ ખાસ ભાર મૂકતા જણાવ્યું છે કે, જે બાળકો શાળામાં નથી તેવા બાળકો માટે પણ હર ઘર દસ્તક અભિયાન હેઠળ આવરી લેવાશે એટલે કે જે બાળકો શાળાએ નથી જતા તે બાળકોને ઘરે જઈને વેક્સિન મૂકી આપવામાં આવશે. બાળકોના રસીકરણ માટે COWIN પર જ રજિસ્ટ્રેશન થશે અને ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ રહેશે તેવું મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *