રાપરમાં પ્રેમી પંખીડાનો સામુહિક આપઘાત- 3 દિવસ બાદ મૃતદેહ એવી હાલતમાં મળ્યા કે…

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. એમાં પણ ખાસ કરીને પ્રેમ(Love) પ્રકારમાં આપઘાતની ઘટનાઓમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, રાપર(Rapper) શહેરના પોલીસ લાઈન પાછળ આવેલા તકિયાવાસમાં યુવક અને યુવતી એક જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી.

જાણવા મળ્યું છે કે, નવીન રામજીભાઇ પઢીયાર અને ભુટકિયાની વનિતા બાબુભાઈ સોંલકીએ રાપરના પોલીસ ક્વાટર્સ પાછળ આવેલા તકિયાવાસમાં કોઈ કારણોસર બિનવારસુ મકાનમાં બે ત્રણ દિવસ અગાઉ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના બે ત્રણ દિવસ અગાઉ બની હતી, પરંતુ આજે મકાન માલિક મકાન જોવાં આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. આ પછી રાપર પોલીસને જાણ કરવામાં આવી હતી.

મકાન માલિક બાબુભાઇ મુળજીના ભાઇ પ્રવિણભાઇ મકાન જોવા આવ્યા એ દરમિયાન રૂમની અંદર દુર્ગંધ આવતી હતી. આ દરમિયાન તપાસ કરતા યુવક અને યુવતીનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ રાપર પોલીસને જાણ કરી હતી. આવી રીતે અપરિણીત યુવક અને પરણિત યુવતીએ સજોડે આત્મઘાતી પગલું ભરતા આસપાસ રહેતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવક અપરિણિત અને યુવતી પરિણીત!
જાણવા મળ્યું છે કે, મૃતક અનિલ ગત 24/5 ના રાત્રીના એક વાગ્યાં બાદ ઘરેથી ભાગી ગયેલ હતો. તો બે દિવસ અગાઉ આડેસર પોલીસમા ભુટકિયા ગામની વનિતા બાબુ સોંલકીની ગુમ થયાની નોંધ લખાવી હતી. જેના ગત 12/5 ના રાપર તાલુકાના કાનમેર ખાતે લગ્ન કરાયા હતા. આ રીતે બંનેએ આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવ્યું ચી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *