એ વતન તેરે લિયે… માં ભોમની રક્ષા કાજે શહીદ થયા 38 વર્ષીય આર્મી જવાન- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય

Published on Trishul News at 6:04 PM, Mon, 7 August 2023

Last modified on August 7th, 2023 at 6:05 PM

Army jawan Babulal Jat martyred: જમ્મુ-કાશ્મીરના કુલગામના શાહપુરા (જયપુર)ના રહેવાસી બાબુલાલ જાટ (38) શહીદ(Army jawan Babulal Jat martyred) થયા હતા. શુક્રવારે આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં બાબુલાલ સહિત ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. શ્રીનગરની મિલિટરી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે બાબુલાલનું મોત થયું હતું. શનિવારે સવારે લગભગ 3 વાગ્યે સેનાએ બાબુલાલના મોટા ભાઈ ભૈરુલાલને આની જાણ કરી હતી. બાબુલાલની પત્ની અને પુત્રોને આ વાતની જાણ નથી.

3 વર્ષ પહેલા થયું હતું પ્રમોશન 
બાબુલાલ શાહપુરા પાસેના હનુતપુરા ગામના ડુંગરી વાલી ધાણીનો રહેવાસી હતા. તેમના મોટા ભાઈ ભૈરુલાલનું ઘર પણ આ ધાણીમાં છે. વહેલી સવારે સેના તરફથી આ દુઃખદ સમાચાર મળતાં જ ભૈરુલાલે હોશ ગુમાવી દીધા. મોટા ભાઈ માટે તે મુશ્કેલ સમય હતો. તે પોતાના ભાઈની પત્ની અને બાળકોને શહીદી વિશે કેવી રીતે કહી શકે. તેઓએ બાબુલાલના પરિવારને આ વિશે જણાવ્યું નથી. 2005માં બાબુલાલને આર્મીની 8 જાટ રેજીમેન્ટમાં હવાલદાર તરીકે ભરતી કરવામાં આવ્યા હતા. તેમને 3 વર્ષ પહેલા જ હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી આપવામાં આવી હતી.

આતંકવાદીઓએ કુલગામમાં સેનાના તંબુઓ પર કર્યો હતો ગોળીબાર
સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ કુલગામના હાલાન જંગલમાં સેનાના તંબુઓ પર ગોળીબાર કર્યો હતો. આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો, જેમાં 3 જવાન ઘાયલ થયા. હુમલા બાદ આતંકીઓ કેટલાક હથિયારો સાથે ભાગી ગયા હતા. આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બાબુલાલ જાટ જુલાઈમાં તેમના પિતા ગુલારામની આંખોનું ઓપરેશન કરાવવા માટે એક મહિનાની રજા પર આવ્યા હતા. ઓપરેશન શાહપુરાની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. 29મી જુલાઇએ જ શ્રીનગરથી ફરજ પર જવા રવાના થયા હતા.

શહીદની પત્ની અને બને પુત્રો

સીકરમાં NEETની તૈયારી કરી રહ્યો છે મોટો દીકરો 
શહીદના પરિવારમાં વૃદ્ધ પિતા લાલારામ જાટ, પત્ની કમલેશ જાટ અને બે બાળકો છે. એક વર્ષ પહેલા માતાનું અવસાન થયું હતું. બાબુલાલનો પુત્ર વિશાલ સીકરમાં NEETની તૈયારી કરી રહ્યો છે.

નાનો પુત્ર વિશેષ જયપુરના બગરુ ખાતે 11મા ધોરણમાં વિજ્ઞાનનો ફાઉન્ડેશન કોર્સ કરી રહ્યો છે. તેમના પુત્રોને આ ઘટના વિશે જણાવવામાં આવ્યું નથી. બંને પુત્રોને એક-એક વ્યક્તિને સોપવામાં આવ્યા છે. જેથી તેઓ સોશિયલ મીડિયા કે મોબાઈલ દ્વારા પિતાના મૃત્યુની માહિતી મેળવી શકતા નથી. તેનો મૃતદેહ આવ્યા બાદ જ પુત્રોને જાણ કરવામાં આવશે.

Be the first to comment on "એ વતન તેરે લિયે… માં ભોમની રક્ષા કાજે શહીદ થયા 38 વર્ષીય આર્મી જવાન- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય"

Leave a comment

Your email address will not be published.


*