હાલ ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જયપુર-કોટા હાઈવે પર ઉભેલા કન્ટેનર સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. કારમાં સવાર ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા હતા. તમામ ખાટુશ્યામ દરબારની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. ગુરુવારે સવારે લગભગ 4.30 વાગ્યે ટોંક જિલ્લાના ઘાડ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. એવું કહેવાય છે કે વાન ચાલક ઊંઘી ગયો હતો. ત્યાંથી પસાર થતા લોકોએ ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. મૃતકોમાં પતિ-પત્નીનો સમાવેશ થાય છે.
માતા-પિતાનું મોત, પુત્રીની હાલત ગંભીર
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ટોંક જિલ્લાના દેવલીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દેવડાવાસ વળાંક પર થયો હતો. અકસ્માતમાં વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દેવલીના શ્યામ નગર નિવાસી મનીષ શર્મા (45), ઈશુ શર્મા (40) પત્ની મનીષ શર્મા, અમિત શર્મા (40) અને વાન ડ્રાઈવર રવિ (26) મૃત્યુ પામ્યા. મનીષ અને અમિત સગા ભાઈ હતા. ઇશુ શર્મા મનીષની પત્ની હતી. અકસ્માતમાં મનીષની પુત્રી દીપાલી (22), દેવલી નિવાસી અંશુલ જૈન (27) અને નિક્કી ઉર્ફે નિકેશ (35) ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતદેહોને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
ઘાયલોને દૂની હોસ્પિટલમાંથી ટોંક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. દિપાલીને માથામાં ગંભીર ઈજાઓ છે. જેના કારણે તેને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. દીપાલીના પિતા મનીષ અને માતાનું અવસાન થઈ ચૂક્યું છે.
ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત- કન્ટેનર અને વાન વચ્ચે ટક્કર થતા 4 લોકોના મોત#rajasthan #accident #4died #Khatushyamji #van #trishulnews pic.twitter.com/Wpo59vECF4
— Trishul News (@TrishulNews) March 2, 2023
ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
માહિતી મળતાં જ ડેપ્યુટી ઓફિસર પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ ઘટના સવારે લગભગ 4.30 વાગ્યે દેવદવાસમાં ક્રિષ્ના હોટલ પાસે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક ઘાયલનું ટોંક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ લોકો ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. વાનમાં 7 લોકો હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.