વલ્લભીપુર પાસે બે સગા ભાઈ-બહેન સહીત 5ના નદીમાં ડૂબવાથી મોત. જાણો વિગતે

ગુજરાતમાં વલ્લભીપુર તાલુકાના જુના રતનપર ગામમાં નદીમાં ન્હાવા પડેલા 10 વ્યક્તિ ડૂબી ગયા હતા. જેમાંથી એક જ પરિવારના 5 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 5…

ગુજરાતમાં વલ્લભીપુર તાલુકાના જુના રતનપર ગામમાં નદીમાં ન્હાવા પડેલા 10 વ્યક્તિ ડૂબી ગયા હતા. જેમાંથી એક જ પરિવારના 5 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકોને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. રતનપર ગામનાં દેવીપૂજક સમાજના ખેત મજૂરો બપોરે ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલા ખાડામાં નાહવા પડ્યા હતા. જેમાંથી તમામ ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી 5ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 3 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે. હાલ પાંચેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

પાંચેયનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા.

સમગ્ર ઘટનાની જાણ 108ની ટીમને થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. ઘટના  દરમિયાન 108ની ટીમે 4 વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાવનાબેન સોલંકીના શ્વાસ ચાલુ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મૃતકમાં 2 સગાભાઈ ,2 બહેન સહિત 5 નાં મોત નિપજ્યા હતા.

મૃતકોનાં નામ :

ગીરધરભાઈ લીંબાભાઈ સોલંકી (ઉંમર-50)

ગોપાલભાઈ ગીરધરભાઈ સોલંકી (ઉંમર-18)

મહેશભાઈ મેહુલભાઈ સોલંકી (ઉંમર-17)

નિશાબેન મેહુલભાઈ સોલંકી (ઉંમર-13)

ભાવનાબેન ગોરધનભાઈ સોલંકી (ઉંમર-18)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *