5 જવાન શહીદ: કાશ્મીરમાં આતંકવાદીઓએ આર્મી વાહન પર ગોળી વરસાવી ફેંક્યો બોમ્બ

પુંછ- જમ્મુ નેશનલ હાઈવે પર લશ્કરી વાહનમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો છે.…

પુંછ- જમ્મુ નેશનલ હાઈવે પર લશ્કરી વાહનમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો છે. આર્મી હેડક્વાર્ટર, નોર્ધર્ન કમાન્ડના (Northen Command) સત્તાવાર નિવેદન અનુસાર, વિસ્તારમાં ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાનો લાભ લઈને અજાણ્યા આતંકવાદીઓએ (terrorist) આર્મીના વાહન પર ફાયરિંગ કર્યું હતું અને ગ્રેનેડ ફેંક્યો (terrorist attack) હતો.

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં એક સૈન્ય વાહનમાં આગ લાગતા પાંચ જવાનોએ (5 Soldiers killed) જીવ ગુમાવ્યો હતો. આ અચાનક થયેલા અકસ્માત બાદ સૈન્ય અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે આસપાસના લોકો સાથે મળીને વાહનમાં લાગેલી આગને ઓલવીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ગાઢ જંગલવાળા ભટાદુડિયા વિસ્તારમાં લશ્કરી વાહનમાં લાગેલી આગની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે વીજળી પડવાના કારણે ઘટના બની હોવાની આશંકા છે. બીજી તરફ, જે વિસ્તારમાં આ ઘટના બની હતી, ત્યાં ગયા વર્ષે ઘણા દિવસો સુધી આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ગુરુવારે બપોરે પૂંચ અને રાજોરી જિલ્લાની સરહદ પર ભટાદુડિયા વિસ્તારમાં થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે સૈન્ય વાહન પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર અમુક સામાન લઈને જઈ રહ્યું હતું.

તેમાં સૈનિકો હતા. અચાનક આગ લાગવાથી સૈનિકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાંથી પાંચ જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા સેનાના અધિકારીઓ અને જવાનો દાઝેલા સાથીઓને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા.

સેનાના પ્રવક્તાએ લોકોને અપીલ કરી છે કે તેઓ ઘટનાની તસવીરો અને વીડિયો શેર ન કરે. તેમણે કહ્યું કે અકસ્માતની પુષ્ટિ થયા બાદ નક્કર માહિતી શેર કરવામાં આવશે.

રક્ષા મંત્રીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

આ ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલી દુર્ઘટનાથી હું દુખી છું. તેમણે કહ્યું કે અહીં એક ટ્રકમાં આગ લાગી હતી, જેના પછી ભારતીય સેનાએ પોતાના બહાદુર સૈનિકોને ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડના સંભવિત ઉપયોગને કારણે વાહનમાં આગ લાગી હતી, એમ તેણે ઉમેર્યું હતું. ઘટના બની વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના પાંચ જવાનો આ ઘટનામાં મૃત્યુ પામ્યા (5 soldiers killed) હતા, એમ સેનાએ જણાવ્યું હતું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય એક જવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *