ગામમાં નીકળી 50 વાંઢાઓની જાન: ઢોલ-નગારા સાથે કલેકટર પાસે કરી ફરિયાદ – કહ્યું: ‘અમને કન્યા શોધી આપો…’

બુધવારે 21 ડિસેમ્બર, 2022 ના રોજ મહારાષ્ટ્રમાં 50 યુવકો વરરાજાના ડ્રેસમાં ઘોડી પર સવાર થઈને બેન્ડ, બાજા, બારાત સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા. આ સમગ્ર શોભાયાત્રાનું આયોજન…

બુધવારે 21 ડિસેમ્બર, 2022 ના રોજ મહારાષ્ટ્રમાં 50 યુવકો વરરાજાના ડ્રેસમાં ઘોડી પર સવાર થઈને બેન્ડ, બાજા, બારાત સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા. આ સમગ્ર શોભાયાત્રાનું આયોજન સ્થાનિક સંગઠન ‘દુલ્હન મોરચા’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કુંવારાઓને કન્યા નથી મળતી, એટલે આ તેમની જાન નીકળી હતી અને સરકારને અપીલ કરી છે કે અમારા માટે કન્યા તો શોધો.

આ વરરાજાઓએ તેમની માંગણીઓ અંગે કલેક્ટર કચેરીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. આ મેમોરેન્ડમ વાસ્તવમાં રાજ્યમાં લિંગ ગુણોત્તર સુધારવા માટે પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક (PCPNDT) એક્ટના કડક અમલીકરણની માંગ વિશે હતું. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં સ્ત્રી પુરૂષ ગુણોત્તરની સ્થિતિ સારી નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (2019-21) અનુસાર મહારાષ્ટ્રમાં 1,000 પુરૂષો દીઠ 920 સ્ત્રીઓનો લિંગ ગુણોત્તર છે .

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ જ કારણ છે કે અહીં રહેતા અનેક અપરિણીત લોકોએ કલેક્ટરને તેમના લગ્ન કરાવવા અને મેમોરેન્ડમમાં કન્યા શોધવાની અપીલ કરી હતી.સોલાપુર અને તેની આસપાસના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં બેચલર્સ છે. આ લોકોને દુલ્હન નથી મળી રહી અને આગળના લગ્ન માટે તેમની ઉંમર વટાવી રહી છે. આ લોકોનું માનવું છે કે આ વિસ્તારમાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાને કારણે આવું થઈ રહ્યું છે. જેના કારણે આ લોકો સ્થાનિક સંગઠનના બેનર હેઠળ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા.

લગ્નની માંગ સાથે અહીં પહોંચેલા વરરાજાઓમાંથી ઘણાએ શેરવાની પહેરી હતી તો કેટલાકે કુર્તા-પાયજામા પહેર્યા હતા. આ લોકોના ગળામાં પ્લેકાર્ડ પણ લટકાવવામાં આવ્યા હતા. આ ઈવેન્ટનું આયોજન કરનાર રમેશ બારસ્કર કહે છે કે લોકો ભલે આ ઈવેન્ટની મજાક ઉડાવતા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે લગ્ન કરવા યોગ્ય યુવકોને દુલ્હન નથી મળતી. બાર્સ્કરના મતે તેનું કારણ એ છે કે રાજ્યમાં સેક્સ રેશિયો યોગ્ય નથી.

બારસ્કરે કહ્યું કે આજકાલ છોકરીઓ લગ્ન માટે નોકરી કરતા હોય કે શહેરોમાં રહેતા યુવકોને પસંદ કરે છે. સમયસર લગ્ન ન થવાને કારણે યુવાનો દુષ્ટતા તરફ વળે છે અથવા દારૂ પીવા લાગે છે . તેમણે કહ્યું કે માતા-પિતા પણ તેમના અપરિણીત પુત્રોને આ રીતે જોઈને ચિંતિત અને બીમાર પડી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *