હત્યાનાં લાઇવ દૃશ્યો જોનારી 6 વર્ષની દીકરીએ કીધું ‘પપ્પા આને પકડો’ અને પછી જે થયું એ જાણી આંખો પહોળી થઇ જશે

રાજકોટ(ગુજરાત): બે દિવસ પહેલા શનિવારની રાત્રે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર સર્કલ નજીક ફૂટપાથ પર સૂતેલા વ્યક્તિ પર પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. આ દરમિયાન એક્ટિવા પર 6 વર્ષની આરાધ્યા ગૌસ્વામી તેના પિતા મહેન્દ્રગિરી ગૌસ્વામી સાથે પાઉંભાજી લેવા માટે જી રહ્યા હતા. ત્યારે હત્યાનાં આ લાઈવ દૃશ્યો નિહાળીને “પપ્પા, આને પકડો” કહી આરાધ્યા જીદ કરવા લાગી હતી, ત્યારે પુત્રીની હઠ પૂરી કરવા માટે પિતાએ તરત પોલીસનો સંપર્ક કરી આરોપીને પોલીસને સોપી તેની અટકાયત કરી હતી. પિતા-પુત્રીની આ બહાદુરીને બિરદાવતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓએ સન્માનપત્ર આપીને પિતાનું સન્માન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા ગત શનિવારના રોજ 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોક નજીક માથા-મોઢા પર પથ્થરનાં ઘા ઝીંકી એક વ્યક્તિની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. માલવીયાનગર પોલીસે આ અંગે જયંતિ ઉર્ફે નટુ જોટાણીયા નામના વ્યક્તિની અટકાયત કરી છે. હત્યા બાદ આરોપી જયંતિ ભાગી જાય તે પહેલા જ ત્યાં રહેલા મહેન્દ્રગીરી ગોસ્વામીએ જયંતીને ઝડપી પાડ્યો હતો અને પોલીસને આ અંગે જાણ કરી હતી.

મૃતકનાં પરિવારજનોના જણાવ્યા અનુસાર, દિનેશભાઈ મુળ કોટડા સાંગાણીના નાની મેંગણી ગામના વતની છે. તે 3 ભાઈ અને 4 બહેનમાં વચેટ હતાં. આશરે દશેક વર્ષ પહેલાં તેમની પત્નીનું મૃત્યું થયું હતું. તેને સંતાનમાં 2 દિકરા અને 1 દિકરી છે. જે પૈકી એક દીકરો અને દીકરી અલગ અલગ સંબંધી સાથે રહે છે. રાજકોટમાં રહી છુટક ડ્રાઈવિંગનું કામ દિનેશભાઈ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *