ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવેલ 7 બાળ આરોપીઓએ બારીના કાચ તોડી હાથની નસો કાપી

હાલમાં મહેસાણાની રાધનપુર ચોકડીએ આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં ચોરી, બળાત્કાર અને હત્યાના ગુનામાં રખાયેલા 7 બાળ આરોપીઓએ મંગળવારે સવારે મૂક્કા મારી રૂમની બારીઓ અને લોબીના…

હાલમાં મહેસાણાની રાધનપુર ચોકડીએ આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં ચોરી, બળાત્કાર અને હત્યાના ગુનામાં રખાયેલા 7 બાળ આરોપીઓએ મંગળવારે સવારે મૂક્કા મારી રૂમની બારીઓ અને લોબીના કાચ તોડી પોતાની જાતે જ હાથની નસ કાપવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ઘાયલ સાતેય બાળ આરોપીઓને સિવિલમાં સારવાર અંગે ખસેડવામાં આવ્યા હતા.

સદનસીબે કોઇ મોટી ઇજા ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દરમિયાન આ ઘટનાને લઇ ઓબ્ઝર્વેશન હોમના અધિકારી સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. આ ઉપરાંત ઇજાગ્રસ્ત બાળ આરોપીઓને આ પગલું ભરવાનાં કારણો પૂછતાં મોટાભાગનાએ જણાવ્યું હતું કે, અમે ક્યારેય અહીંથી બહાર નહીં નીકળશું નહિ એટલે આ પગલું ભર્યું છે.

તો એકે પરિવાર સાથે વાત ન થતી હોવાના કારણે અને બીજાએ વ્યસનના કારણે પગલુ ભર્યું હોવાનું કારણ બતાવ્યું હતું. આ અંગે ઓબ્ઝર્વેશન હોમના સુપ્રિન્ટેન્ડેન્ટ શનિભાઇ પરમારે જણાવ્યું કે, આ લોકો પોતાની મનમાની ચલાવવા માગે છે, એટલે કે તેઓ ઇચ્છે એ કરી શકે એ માટે સ્ટાફ પર ધાક જામવવા તેમજ પોતાનો આક્રોશ ઠાલવવા આ પ્રકારનું કાર્ય તેમણે કર્યું છે.

જાણવા મળ્યું છે કે, નિયમ મુજબ એમને પરિવાર સાથે ટેલીફોનીક વાતચીત પણ કરાવવામાં આવે છે. તેમના પરિવારમાંથી કોઇ આવે તો મળવા પણ દઇએ છીએ. મહેસાણા સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. અનીમેષ પટેલે જણાવ્યું કે, આ ઘટના જોતાં તેમને કાઉન્સેલિંગની જરૂર જણાય છે. તેમણે જણાવ્યું કે, એમના મનમાં રહેલા ડરને દૂર કરવા આ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *