માતા-પિતાની એક વાત દીકરીને મોત સુધી ખેચી ગઈ… નવ વર્ષની બાળકીએ આપઘાત કરી જીવ આપી દીધો

જો વાત કરવામાં આવે તો અવારનવાર અનેક આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે માત્રને માત્ર 9 વર્ષની બાળકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી…

જો વાત કરવામાં આવે તો અવારનવાર અનેક આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે માત્રને માત્ર 9 વર્ષની બાળકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહત્વનું છે કે, આટલી નાની ઉમરે આ દીકરીને આ પ્રકારનું પગલું ભરવાનું સુજ્યું કેમ? જો વાત કરવામાં આવે તો તમિલનાડુ(Tamil Nadu)ના પેરિયાકુપ્પમ(Periyakuppam)થી એક દર્દનાક અને ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે.

જો વાત કરવામાં આવે તો અહીં એક 9 વર્ષની બાળકીએ નજીવી બાબતે આપઘાત કરી લીધો હતો. એવું પણ જાણવ મળ્યું છે કે, પ્રતિક્ષા નામની બાળકીએ જ્યારે તેના માતા-પિતાએ તેને ભણવાનું કહ્યું ત્યારે તેણે આવું ખતરનાક પગલું ભર્યું હતું. આ નવ વર્ષની બાળકીને તેના પડોશીઓ ‘ઇન્સ્ટા ક્વીન’ કહેતા હતા.

પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિએ દીકરીને તેના સાસરિયાના ઘર પાસે રમતી જોઈ અને તેને ઘરે જઈને અભ્યાસ કરવાનું કહી ઘરની ચાવી આપી હતી.

ત્યારબાદ પછી તેઓ બાઇકમાં પેટ્રોલ ભરવા માટે નીકળ્યા હતા અને રાત્રે લગભગ 8.15 વાગે પરત ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે ઘર અંદરથી બંધ હતું અને તેમની પુત્રીને દરવાજો ખોલવાનું કહ્યું હતું. જ્યારે પ્રતિક્ષાએ જવાબ ન આપ્યો, ત્યારે કૃષ્ણમૂર્તિ ગભરાઈ ગયા હતા અને પાછળની બારી તોડીને અંદર ગયા અને જોયું કે તેની પુત્રી તેના ગળામાં ટુવાલ વડે લટકતી હતી અને તડપી રહી હતી.

ત્યારે તેને નીચે ઉતારીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ કમનસીબે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક 10 વર્ષના બાળકે મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા આપઘાત કરી લીધો હતો. માતાની ઠપકો બાદ માસૂમએ આ ઘૃણાસ્પદ પગલું ભર્યું હતું. આ મામલો લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ચિત્વાપુર વિસ્તારનો છે. હકીકતમાં, તેના પતિના મૃત્યુ પછી, કોમલ (40) તેના પુત્ર આરુષ (10 વર્ષ) અને પુત્રી વિદિશા (12 વર્ષ) સાથે તેના પિતાના ઘરે રહે છે.

સંબંધીઓના જણાવ્યા અનુસાર પુત્ર આરુષ ઘણા દિવસોથી શાળાએ જતો ન હતો. તે જ સમયે, તે ઘરે આખો દિવસ મોબાઈલ ગેમ રમતો હતો. આ વાત તેને ઘણી વખત સમજાવી પણ હતી. દરમિયાન ઘટનાના દિવસે માતાએ પુત્રને જોરથી માર માર્યો હતો અને તેના હાથમાંથી મોબાઈલ આંચકીને બહાર નીકળી ગઈ હતી. જેના કારણે ગુસ્સે ભરાયેલા બાળકે આપઘાત કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *