99 વર્ષના દાદા પહોચ્યા સરકારી કચેરીએ અને આપ્યું મોટું દાન- બતાવ્યું કાઠીયાવાડી ખમીર

વિશ્વ આખું કોરોનાના સંકટ સામે લડી રહ્યું છે. લોકડાઉનના કારણે કેટલાય લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે. આવી પરિસ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ભુખ્યાને ભોજન કરાવી…

વિશ્વ આખું કોરોનાના સંકટ સામે લડી રહ્યું છે. લોકડાઉનના કારણે કેટલાય લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે. આવી પરિસ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ભુખ્યાને ભોજન કરાવી રહી છે. ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો, રમતવીરોથી માંડીને સામાન્ય જનતાએ પણ કોરોનાના સંકટ સામે લડવા મોટી રકમ દાન કરી છે. જૂનાગઢમાં પણ એક 99 વર્ષના દરિયાદિલ વૃદ્ધ દ્વારા પોતાની જીવન મુળી દાન કરવામાં આવી છે.

એક મોટી ઉંમરના દાદા લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે પહોંચ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા તેમની ઉંમર પૂછી. દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું કે 99મું ચાલે છે. ચોકીદારે દાદાને મદદ માટે પૂછ્યું. ત્યારે દાદાએ કહ્યું કે તેઓ મદદ લેવા નથી આવ્યા. દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે તેઓ પોતાની મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યા છે. તેમની પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51000નો ચેક કલેક્ટર સાહેબને આપ્યો. 

કોણ છે 99 વર્ષના વૃદ્ધ?

આ દાદાનું નામ છે રત્નાભાઈ મનજીભાઈ ઠુંમર. તમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.

શારીરિક રીતે સહાય ન કરી સકતા આર્થિક મદદ

51000નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું કે તેઓ હું વૃદ્ધ હોવાથી આ સંકટ સામે લડાઈ લડવામાં તમનું શરીર તો કામમાં આવે એમ નથી પણ તેમને જ થોડી ઘણી બચત કરી હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરી રહ્યા છે. ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની વયે પણ તેમણે તૂટવા નથી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *