સાણંદ નજીક અકસ્માત- છકડો રીક્ષામાં બેઠા’તા ૧૫ લોકો, જાણો કેટલા લોકોનો ભોગ લેવાયો

સાણંદ: ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સાણંદમાં આવેલા નળ સરોવર રોડ પર આવેલ ગોવિંદા ગામના પાટિયા પાસે બની હતી. જેમાં રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાના ફુરચા નીકળી ગયા હતા. આ બનાવમાં 2 લોકોના મોત થયા હતા જયારે 12 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર અને રીક્ષા અથડાતા રીક્ષાના ટુકડા થઈ ગયા હતા. આ ધટના બાદ કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને સાણંદની એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે માહિતી મળતા સાણંદ GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, રીક્ષામાં 15 જેટલા મુસાફરો હોવાનું જાણવા મળ્યું હતું. એક રીક્ષામાં આટલી વધારે સંખ્યામાં લોકોને બેસાડ્યા હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *