સુરતના કતારગામમાં યુવકે બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું- આ રીતે થયો પર્દાફાશ

સુરત(ગુજરાત): સુરત શહેરમાં યુવકે એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને અનેક વાર બળાત્કાર ગુજાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવકે કતારગામ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ‘હું તારી સાથે જ લગ્ન કરવાનો છું. તારા બંને સંતાનોની પણ પિતા તરીકે જવાબદારી નિભાવીશ,’ આવું જણાવીને આરોપી યુવકે મહિલાને ભોળવી હતી.

ત્યારબાદ સેંથામાં સિંદૂર ભરી, મગંળસૂત્ર પહેરાવી દીધું હતું. ત્યારબાદ વારંવાર બળાત્કાર ગુજરાતો રહ્યો હતો. હાલ પોલીસે આ મામલે યુવક વિરુધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાની ફરિયાદ અનુસાર, યુવકે 30 હજાર રૂપિયા પણ લઇ લીધા હતા. સાથે સાથે દુકાનમાંથી કપડાની ખરીદી કરીને તેણીને છોડી દીધી હતી. મળતી માહિતી અનુસાર, કતારગામ રણછોડનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો ધંધો કરતા 30 વર્ષના ભારતીબેન છે. વર્ષ 2015માં બે સંતાનની માતા ભારતીબેન નિખીલ રામજી ટાંકે પ્રેમજાળમાં ફસાવી હતી.

સાથે સાથે તેને જણાવ્યું હતું કે, ‘તારી સાથે જ લગ્ન કરવાનો છું. તારા બંને સંતાનોના પિતા તરીકેની પણ જવાબદારી નિભાવવાનું છું.’  ભારતીબેનના માથામાં સિંદૂર ભરી ગળામાં મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. ત્યારબાદ આપણે બંને પતિ-પત્ની છીએ તેવું કહીને વિશ્વાસ મેળવીને અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, નિખીલે ભારતીને અલગથી રૂમ પણ કરી આપ્યો હતો, જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. નિખીલે કોઈના કોઈ બહાને ભારતી પાસેથી ટુકડે ટુકડે કરી રૂપિયા 30 હજાર પણ પડાવી લીધા હતા. એટલું જ નહીં, ભારતીની દુકાનમાંથી કપડાની પણ ખરીદી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *