મોડીરાત્રે વાહનોથી ભરચક મોરબી હાઈવે થયો લોહીલુહાણ- ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકસાથે આટલાના થયા મોત

મોરબી (ગુજરાત): ગઈકાલે મોડીરાત્રે (Late at night) ટ્રક (Truck) તથા કાર (Car) વચ્ચેના ગમખ્વાર અકસ્માત (Accident) માં એકસાથે 5 યુવકનાં મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. પુરઝડપે જઈ રહેલ કારચાલકે સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

જયારે આગળ પાર્ક કરેલ ટ્રક ન દેખાતાં પાછળથી ધડાકાભેર અથડાતા કારમાં સવાર 5 યુવક મોતને ભેટ્યા હતા. પોલીસ તપાસમાં મોરબીમાં રહેતા તમામ મૃતક યુવકો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવી રહ્યું છે. માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયે બુધવારની રાત્રે 10 વાગ્યાના સુમારે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મોરબી પાસે ભરતનગરથી કાર લઈને નીકળેલ આનંદસિંઘ શેખાવત, અશોક બિલારા, તરાચંદ બિલારા, વિજેન્દ્રસિંઘ મુનિમ, દિનેશ ઉર્ફે રાજેશકુમાર નામના યુવકોને ટીંબડી પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગેની જાણ થતાંની સાથે જ આજુબાજુમાંથી લોકોનાં ટોળેટોળાં એકત્ર થયા હતાં.

ટ્રકની પાછળ ઘૂસેલી કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. બાદમાં રાહદારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ તપાસમાં યુવકો મોરબી શહેરના ભરતનગરમાં રહેતા હતા તેમજ સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો.

કારચાલક સહિત બધા જ મૃતક યુવકો મૂળ રાજસ્થાનના વતની છે તેમજ ટ્રાન્સપોર્ટના વ્યવસાયની સાથે જોડાયેલા છે. બુધવારનાં રોજ 9.30 વાગ્યાનાં સુમારે યુવકો ભરતનગમાં આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળીને ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યા હતા ત્યારે મોરબી- માળિયા હાઈવે પરનાં ટીંબડી ગામના પાટિયા નજીક આ ઘટના સર્જાઈ હતી.

મૃતકનાં નામ:
આ ગંભીર અકસ્માતમાં આનંદસિંગ પ્રભુરામ સેખાવત, તારાચંદ તેજપાલ બરાલા, અશોક કાનારામ બિરડા, વિજેન્દ્રસિંગ, પવનકુમાર મિસ્ત્રીનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે જેને કારણે પરિવારજનોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *