લગ્નની ખુશી ફેરવાઈ માતમમાં, પ્રસંગમાં જઈ રહેલા લોકોને ભરખી ગયો કાળ- કાર અને બાઈક અથડાતા બે લોકોના કરુણ મોત

ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં આવેલ પાલીતાણા-સોનગઢ(Palitana-Songadh) રોડ પર અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ અકસ્માત દરમિયાન બે લોકોના કરુણ મોત(Two deaths) નિપજ્યા છે.…

ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં આવેલ પાલીતાણા-સોનગઢ(Palitana-Songadh) રોડ પર અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ અકસ્માત દરમિયાન બે લોકોના કરુણ મોત(Two deaths) નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર પરિવાર જ્યારે લગ્ને પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે અચનાક બાઈક અને કાર સામ સામે અથડાયા હતા જેમાં બાઈક સવાર રોડ પર ઢસડાયો હતો અને જ્યારે કાર રોડ પરથી નીચે ખાબકી ગઈ હતી. બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે પરિવારના અન્યા પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

લગ્ન પ્રસંગની ખુશી ફેરવાઈ માતમમાં, નડ્યો અકસ્માત:
ભાવનગરમાં પાલીતાણા-સોનગઢ રોડ પર સર્જાયેલા અકસ્માતની જાણ થતાની સાથે જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને જ્યારે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ 108ને બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક જ ઘટના સ્થળે આવી દોડી આવી હતી. જ્યારે પોલીસે બે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત, અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત:
લગ્ન પ્રસંગે જઈ રહેલા પરિવારના અકસ્માત નડતા પરિવારને બે સભ્યોના કરુણ મોત નિપજ્યા છે અને જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. કાર-બાઇક વચ્ચે થયેલ ટક્કરમાં બે લોકોના કરૂણ મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે લગ્ન પ્રસંગમાં જતા પરિવાર પર કાળ તૂટી પડતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *