પ્રેમના તાંતણે બંધાયા બાદ ‘સમાજ એક થવા નહીં દે’ કહી પ્રેમીપંખીડાએ ગટગટાવી ઝેરી દવા

દ્વારકા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આપઘાત(Suicide)ના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા(Dwarka) જીલ્લાના દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ(dhrasanvel) ગામે સીમ વિસ્તારમાં પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, દ્વારકા જિલ્લાના જ બંને યુવા હૈયાઓ વચ્ચે પ્રેમ થયા બાદ એક થવાનું શક્ય નહી લાગતા અને સમાજ એક થવા નહી દે એવું લાગતા સજોડે આપઘાત કરી લીધો હોવાનું હાલ પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે સીમ વિસ્તારમાં એક જ ખેતરમાં યુવક-યુવતીના મૃતદેહ પડ્યા હોવાની સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, પોલીસ પહોચે તે પહેલા જ ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસ દ્વારા ટોળાને વિખેરી બંનેના દેહને કબજે કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર યુવકોની ઓળખ હિરેન અને જશુ તરીકે થઈ છે. પોલીસમાં ખુલાસો થયો છે કે, બંને એક જ ગામના રહેવાસી છે અને એકબીજાના પ્રેમમાં પડ્યા પછી સમાજ તેમને એક થવા દેશે નહીં અને આ જીવનમાં સાથે રહી શકશે નહીં તેમ લગતા આપઘાત કરી લીધો હતો. ઘટના બાદ પોલીસ દ્વારા બંનેના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *