પિતાની હત્યા કરાવનાર માતા જેલમાં જતા બે બાળકો બન્યા નોંધારા- જાણો કયાની છે આ કરુણ ઘટના

ગુજરાત(Gujarat): દાહોદ(Dahod) જિલ્લાના ફતેપુરા(Fatehpura) તાલુકાના વલુંડા(Valunda) ગામમાં પ્રેમમાં અંધ બનેલી પરિણીતાએ પોતાના બે બાળકોની પરવા કર્યા વગર તેના પ્રેમી, ભાઈ અને ભૂવા સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. જોકે, મહિલા હાલમાં ગુનાહિત કાવતરા હેઠળ પોલીસ રિમાન્ડ પર છે. પિતા મૃત્યુ પામ્યા છે અને માતા જેલમાં છે અને તેના બે બાળકો હવે નોંધારા બન્યા છે. હાલમાં બંને બાળકોનો ઉછેર તેમના કાકા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ફતેપુરાના વલુંડા ગામના રમણભાઈ બરજોડ પીપલરાના પુલ નીચેથી મૃત હાલતમાં મળી આવતાં તેમના મોત પાછળ પત્ની રેશ્માબેનના હોવાનું બહાર આવ્યું હતું. ઘુઘાસ ગામના બોરીયાભાઈ નામના યુવક સાથે પ્રેમસંબંધ ધરાવતી રેશ્મા તેના પતિ રમણભાઈની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

હત્યાના કાવતરામાં ઘુઘાસ ગામના ભુવા ચીમન બારીયા અને ડુંગર ગામમાં રહેતા રેશ્માનો ભાઈ રાકેશ દામા પણ સામેલ કરવામાં આવ્યા હતા. રમણભાઈને ભુવાની વિધિના બહાને ડુંગર પર લઈ જઈ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે પોલીસે ચારેયને ફતેપુરા કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *