સી આર પાટીલ ને મોટો જટકો- આમ આદમી પાર્ટીમાંથી ખેરવેલા નેતાઓની AAP માં ઘરવાપસી

સુરત આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. અને ગુજરાત ભાજપ અને સી આર પાટીલ માટે ભૂકંપ કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગત મહીને આમ આદમીપાર્ટીના  સાત કોર્પોરેટર વારાફરતી ભાજપમાં જોડાઈ ગયા હતા. અને ભાજપે ભૂકંપ સર્જ્યો હતો પરંતુ હવે આમ આદમી પાર્ટીએ પોતના કોર્પોરેટરની ઘરવાપસી કરાવી છે.

આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર મનીષાબેન કુકડીયા એ આમ આદમી પાર્ટીમાં ઘરવાપસી કરી છે.

કોર્પોરેટર મનીષા કુકડીયાના પતિએ ભાજપમાં જોડાયા હતા તે બાબતે ખુલાસો કરતાં કહ્યું કે, મારી પત્નીની ઇચ્છા હતી કે શાસક પક્ષમાં રહેશું તો લોકોના કામ સરળતાથી થશે. પરંતુ આવું થયું નહીં અને સતત મૂંઝવણ થયા કરતી હતી કે અમે પ્રજાનો દ્રોહ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતૃત્વને આ અંગે વાત કરી કે, અમારે અમારી ભૂલ સ્વીકારી છે અને આમ આદમી પાર્ટીમાં પરત આવવું છે, ત્યારે તેઓ અમને ગળે લગાવી દીધા અને અમે ફરીથી ઈમાનદાર પાર્ટીમાં જોડાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *