સુરતમાં વધુ એક યુવકની હત્યા- સોસાયટીમાં જ રહેતા કેટલાય લોકોએ તીક્ષણ હથિયારથી કરી હત્યા

આજકાલ સુરત (Surat)માં હત્યાનાં કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જોતા લાગી રહ્યું છે કે, આ હેવાનોને પોલીસનો અથવા કાયદા કાનુનનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી. જયારે જાણવા મળ્યું છે કે, સુરતના પાંડેસરા (Pandesara)માં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. પાંડેસરાનાં ગોવાલક ગણપત નગર (ગોવાલક ગણપતનગર)માં 35 વર્ષય એક યુવકને મોતને ઘટ ઉતારી દીધો હતો.

જયારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે. પાંડેસરાનાં ગોવાલક ગણપતનગરમાં 35 વર્ષીય ધર્મેન્દ્ર પરિહાર નામના એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ધર્મેન્દ્ર પરિહારની હત્યા સોસાયટીમાં જ રહેતા કેટલાક યુવકો દ્વારા કરવામાં આવી હતી.

હત્યારાઓએ ધર્મેન્દ્ર પરિહારની હત્યા તીક્ષણ હથિયાર દ્વારા કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિકપણે ઘટના સ્થળે પહોંચી હતી. જયારે પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *