મેહુલ બોઘરા પર થયેલ જીવલેણ હુમલા મામલે સૌથી મોટી અપડેટ- હાઈકોર્ટે સરથાણા પોલીસને આપ્યો આ આદેશ

ગુજરાત(Gujarat): હાઇકોર્ટ(High Court) દ્વારા સુરત(Surat)ના સરથાણા પોલીસ(Sarthana Police) પાસે કાર્યવાહી બાબતે જવાબ માંગવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ બોઘરા સામે ખંડણી અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે, ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આથી આ સમગ્ર ઘટના અંગે હાઇકોર્ટે નોંધ્યું છે કે, ‘મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર થયેલી ફરિયાદ ખોટી છે. આ મામલે 13 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.’

અમે તમને વધુમાં જણાવી દઇએ કે, સુરતમાં તારીખ 18 ઓગસ્ટના રોજ સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર TRBનો હપ્તાખોરીનો ફેસબુકના માધ્યમથી લાઇવ વીડિયો બનાવતી વખતે TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો દાખલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણાના PI એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવામાં આવી હતી. PI એમ કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકવામાં આવ્યા હતા. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકવામાં આવ્યા હતા અને સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી છે. તેમજ સુરત પોલીસ દ્વારા એક ઝાટકે 37 TRB જવાનોને પણ હટાવી દેવામાં આવ્યા હતા.

જાણો શું હતી સમગ્ર ઘટના?
એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતિયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી કટકી, તોડ-પાણી કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મેહુલ બોઘરા સ્થળે પહોંચી ગયા હતા અને એક રીક્ષાની નજીક જઈ રહ્યા હતા ત્યારે તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરા કહ્યું છે કે, પોલીસના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનેક વાર મેહુલ બોઘરાને ધમકીઓ આપવામાં આવી હતી.

મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, અને રાતના સમયે પોલીસ સ્ટેશનમાં સેકંડોની ભીડમાં આરોપી સાજન ભરવાડ સામે ફરિયાદ લેવાની ઉગ્ર માંગ કરી હતી. ઉગ્ર માંગ જોઈ પોલીસે પણ ફરિયાદ લઇ આરોપી વિરુદ્ધ કલમ આઇપીસી ૩૦૭ નોંધી ગુનો ફરિયાદ નોંધી હતી.

રાજકારણમાં આવવાને લઈને મેહુલ બોઘરાએ જાણો શું કહ્યું?
વકીલ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું હતું કે, મેહુલ બોઘરા રાજકારણમાં તો આવશે એ 100 ટકાની વાત છે. મને ખોટું બોલતા આવડતું નથી. રાજકારણી તો બનવાનો છું પણ આવો નથી બનવાનો જે હાલમાં નેતાઓ હોય છે. વધુમાં ઉમેરતા કહ્યું છે કે, જેનામાં આત્મવિશ્વાસ નથી, જેને ખાલી બોલ બચ્ચન કરવા છે એવા બધા રાજકારણમાં આવીને બની બેઠા છે, તો મારા માં તો જુસ્સો છે, દેશ માટે કઈ કરવાની ભાવના છે, રાષ્ટ્રપ્રેમ છે તો હું રાજકારણમાં કેમ ના આવી શકું? પરંતુ આગામી સમયમાં જે ઈલેક્શનો આવવાના છે તેને લઈને હાલ મારી કોઈ તૈયારી નથી.

રાજકારણમાં કોઈ પાર્ટી નક્કી ના હોય કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી. મેહુલ બોઘરા પોતાની પાર્ટી પણ બનાવે, અપક્ષમાં પણ લડે એ કોઈ વસ્તુ હાલ માં છે નહી, આ બધા ભવિષ્યના પ્લાનિંગ છે. ભવિષ્યમાં લોકોનું સમર્થન હશે, લોકચાહના હશે ત્યારે મેહુલ બોઘરા ચોક્કસ રાજકારણમાં આવશે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાવવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ મને એવું લાગતું નથી. તમામ પાર્ટીઓનો પોલીટીકલ સપોર્ટ હોય છે. રાજકારણમાં ત્રણ પાર્ટીઓ જ છે તેવું નથી, અલગ પાર્ટી પણ બને, અપક્ષમાંથી પણ લડાઈ, પરંતુ લોકચાહના હશે તે પ્રમાણે મેહુલ બોઘરા આગળ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *