વડોદરામાં કન્ટેનરે છકડાને પાપડની જેમ કચડયો… બે બાળકો સહીત સાતના મોત – ઓમ શાંતિ

અકસ્માત (accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, વડોદરા(Vadodara) શહેરના દરજીપુરા એરફોર્સ પાસે છકડા અને કન્ટેનર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 7 લોકોના દબાઈ જવાથી મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રોંગ સાઇડથી આવતો હતો છકડો:
મળતી માહિતી અનુસાર, સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતા સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે સામે રોંગ સાઇડથી આવી રહેલા 14 મુસાફરો સવાર છકડાને અડફેટે લીધો હતો. જેમાં છકડામાં સવાર 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે.

જયારે અન્ય 4 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનર એરફોર્સની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું.

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ:
આ ગોઝારી ઘટનાને પગલે એરફોર્સ, પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક લોકો બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

જેને પગલે વાહન ચાલકો અટવાઇ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *