ભૂ સમાધિ લીધાના ૭૨ કલાક બાદ બહાર નીકળ્યા સાધુ… કહ્યું- ‘હું સ્વર્ગ અને શિવલોકમાં…’

બાબા પુરુષોત્તમમંદ મહારાજ ત્રણ દિવસ બાદ આજે સવારે 11 વાગ્યે ભૂ સમાધિમાંથી બહાર આવ્યા હતા. ગુફા મંદિરના મહંત રામપ્રવેશ દાસ મહારાજ અને પુતલીઘરના મહંત અનિલાનંદ મહારાજની હાજરીમાં બાબા ભૂ સમાધિમાંથી બહાર આવ્યા હતા. આશ્રમના સેવાદારોએ સમાધિ સ્થળ પરથી માટીના થર હટાવ્યા. એક પછી એક સ્લેબ હટાવતા જ બાબા ધ્યાનની મુદ્રામાં ખાડામાં બેઠેલા જોવા મળ્યા.

આ જોઈને ભક્તોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. બાબા ધીરે ધીરે પોતાના સ્થાનેથી ઉભા થયા, ભગવાનને પ્રણામ કર્યા અને બંને હાથ ઉંચા કરીને બધાને નમસ્કાર કર્યા. બાબા સમાધિમાંથી બહાર આવ્યા બાદ ભક્તોએ પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું.

બાબા સમાધિમાંથી બહાર આવતાની સાથે જ ત્યાં હાજર લોકોમાં તેમની એક ઝલક જોવા અફરાતફરી મચી ગઈ હતી. ઘણા લોકો પોતાના મોબાઈલમાં બાબાની તસવીરો લેતા અને વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. સમાધિમાંથી બહાર આવ્યા પછી, બાબા પુરુષોત્તમમંદે તેમના અનુયાયીઓને સાત્વિક જીવન જીવવાનો સંદેશ આપ્યો અને લોકોને ગેરરીતિઓથી દૂર રહેવા કહ્યું. ‘માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો. આ રીતે જીવન સમૃદ્ધ થશે.’

બાબા પુરુષોત્તમમંદ મહારાજે સમાધિનો અનુભવ કહ્યો…
બાબા પુરૂષોત્તમંદે તેમના ત્રણ દિવસની ભૂમિ સમાધિનો અનુભવ પણ વર્ણવ્યો હતો. બાબાએ કહ્યું કે જમીનની નીચે સમાધિ લીધા પછી મેં માતારાણી સાથે મુલાકાત કરી હતી. માતરાણી મારી સમક્ષ હાજર થઈ અને મને સ્વર્ગમાં લઈ ગયા. ત્યાં એક સુંદર તળાવ હતું. ત્યાં અનેક પ્રકારના પક્ષીઓ જોયા.પછી માતા તેને શિવલોક લઈ ગયા ત્યાં ઓમ-ઓમનો નાદ ચાલી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બાબા પુરુષોત્તમમંદ મહારાજે શુક્રવારે સવારે 10 વાગે ભૂ સમાધિ લીધી હતી. બાબાની ભૂમિ સમાધિ દરમિયાન દરબારમાં 10 થી 15 ભક્તોની હાજરી સતત રહી હતી. સમાધિ પાસે ધાર્મિક વિધિઓ અવિરત ચાલી રહી છે. અગાઉ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *