લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સ જ બની કાળનો કોળીયો! બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા 2ના કરુણ મોત

અમરેલી(Amareli): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. અમરેલી-ધારી (Dhari)ના ખોડીયાર મંદિર (Khodiyar temple) નજીક વાવના પાટીયા પાસે ખાનગી બસ અને એમ્બ્યુલન્સ (Ambulance) વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. તેઓને હાલ સારવાર માટે અમરેલી ખસેડાયા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતથી ધારી તરફ આવી રહેલી અનુકૂળ ટ્રાવેલ્સની બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને અમરેલી રિફર કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. જયારે એમ્બ્યુન્સમાં સવાર અન્ય 3 દર્દીઓના સગાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

બન્ને મૃતકોને ધારી હોસ્પિટલ ખાતે અને 3 ઈજાગ્રસ્તોને અમરેલી ખસેડાયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતની તસવીરોને જોતાં બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે સામસામે ટક્કર થઇ હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, અકસ્માતના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *