ચોર સમજી 7 લોકોએ વૃક્ષ સાથે બાંધીને માર મારતા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સાત લોકોએ વૃક્ષ સાથે બાંધીને માર મારતા યુવાનનું…

મોરબીના રફાળેશ્વર ગામ નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સાત લોકોએ વૃક્ષ સાથે બાંધીને માર મારતા યુવાનનું મોત થયાનો ખુલાસો થયો છે.પોલીસે સાતેય વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

તસ્વીરો સાંકેતિક છે

મોરબીના રફાળેશ્વર જીઆઈડીસી નજીક ૨૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ પડયો હોવાની માહિતી મળતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડીને તપાસ આદરી હતી. જેમાં મૃતક અજાણ્યા યુવાનના શરીર પર ઈજાના નિશાનો મળી આવતા યુવાનને માર મારતા તેનું મોત થયાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.હત્યાની આશંકા સાથે તપાસ ચલાવી હતી. જેમાં યુવાનને ચોર સમજીને માર મારતા તેનું મોત થયાનો ખુલાસો થયો છે, ત્યારે મોરબી તાલુકા પીએસઆઈએ જાતે ફરિયાદી બની હત્યાનો ગુન્હો નોંધ્યો છે. જેમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર. એ. જાડેજાએ ફરિયાદી બની ફરિયાદ નોંધી છે.

જેમાં આરોપી અજયકુમાર પાંડુરંગ કારંડે, રમેશસિંગ શ્રીકુંજ બિહારી, કુંદન દિનબંધુ ભારદ્વાજ અને અખિલેશકુમાર સંતોષકુમાર પ્રસાદ (રહે ચારેય ધવલ ઓફસેટ ઓરડીમાં જોધપર (નદી) તા. મોરબી) તેમજ વિનોદ મગનભાઈ સવસાણી, કેવલ વિનોદભાઈ સવસાણી અને વિનોદભાઈ હરજીવનભાઈ સવસાણી (રહે મોરબી)એમ કુલ સાત લોકો સામે ગુન્હો નોંધ્યો છે. આરોપીઓએ અજાણ્યા યુવાનને ચોર સમજી વૃક્ષ સાથે બાંધી માર મારતા તેનું મોત થયું હતું. જેને પગલે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *