દિવાળી પર જૂના ઝાડૂને ભૂલથી પણ ઘરની બહાર ન ફેંકતા, નહીંતર આફત નોતરશો

Vastu Tips for Broom: આપણા ઘરોમાં એવી ઘણી વસ્તુઓ છે, જેની સાથે કોઈક વાસ્તુશાસ્ત્ર જોડાયેલું છે. આવી જ એક વસ્તુ છે, જે દિવાળીના સમયે ખરીદવી જ જોઈએ. તમારા ઘરોમાં જોવા મળતી સાવરણી એવી વસ્તુ છે કે, જે શુભ વાસ્તુ સાથે જોડાયેલી છે. શું તમે જાણો છો કે, સાદી દેખાતી સાવરણી (Vastu Tips for Broom) પણ તમને અમીર બનાવી શકે છે. દિવાળી વિશે ઘણી બધી શુભ વાતો કહેવામાં આવે છે. જ્યારે દિવાળી ખુશીઓ અને ઉત્સાહ લાવે છે, ત્યારે દિવાળી પર ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવાળી પર લોકો ઘર, જ્વેલરી વગેરેની ઘણી ખરીદી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, દિવાળી પર સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.

નવી સાવરણીની આ રીતે કરો ઉપયોગ
જ્યોતિષ, વાસ્તુ અને જૂની માન્યતાઓ અનુસાર સાવરણીના કારણે પણ આપણા ઘરમાં સુખ શાંતિ વધે છે કે, ઘટે છે. જે રીતે ઘરના કચરાપેટીમાં રાખવામાં આવેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જા વધારે છે, તેવી જ રીતે ઘરમાં રાખેલી સાવરણી ઘરમાં રહેલી તમામ ખરાબ શક્તિઓને બહાર કાઢી નાખે છે. માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે સાવરણી ખરીદ્યા પછી પૂજા પછી બીજા દિવસથી તેનો ઉપયોગ કરવો જોઈએ. જો સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે, કારણ કે તેનાથી સંબંધિત ઘણી માન્યતાઓ છે. અહીં જાણો સાવરણીને લગતી કેટલીક વાસ્તુ ટિપ્સ કે, જેનું તમારે આ દિવાળીમાં ખાસ ધ્યાન રાખવું પડશે. આ ટિપ્સમાં ક્યા દિવસે તમારે નવી સાવરણી ખરીદવી જોઈએ, સાથે જ કયા દિવસે જૂની સાવરણી ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

ઘરની ગરીબી દૂર કરે
વાસ્તુમાં માનવામાં આવે છે કે, સાવરણી ઘરમાંથી ગરીબીનો કચરો સાફ કરીને સમૃદ્ધિ લાવે છે. જો તમે સાવરણીને યોગ્ય રીતે રાખો છો તો તે તમારું નસીબ બચાવી શકે છે. આ સાથે જો તમે કોઈ શુભ દિવસે ઝાડુ ખરીદ્યું હોય તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. સાવરણી ખરીદવા, તેને ઘરમાં રાખવા, તેના ઉપયોગ માટે એક નિશ્ચિત સમય અને સાવરણીને ઘરની બહાર ફેંકી દેવા માટે કેટલાક વાસ્તુ નિયમો બનાવવામાં આવ્યા છે.

નવી સાવરણી ખરીદો
વાસ્તુ અનુસાર જો સાવરણી તૂટી જાય તો તેને તરત જ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ, કારણ કે વાસ્તુ અનુસાર તૂટેલી, જૂની સાવરણી ઘરમાં નકારાત્મકતા લાવે છે. તેની સાથે જ ઘરમાં સમસ્યાઓ પણ વધે છે. જ્યારે પણ તમારે જૂની સાવરણી ફેંકવાની હોય તો તેના માટે શનિવાર, અમાસ, હોલિકા દહન અથવા ગ્રહણ પછીનો સમય પસંદ કરવો જોઈએ. વાસ્તુ અનુસાર શનિવાર અથવા અમાવસના દિવસે સાવરણી ફેંકવી સૌથી યોગ્ય માનવામાં આવે છે. જો તમે પણ આ દિવસોમાં ઘરની જૂની અથવા તૂટેલી સાવરણી બહાર કાઢો છો, તો તમારા ઘરની નકારાત્મક શક્તિઓ પણ ઝાડુની સાથે ઘરની બહાર નીકળી જાય છે. સાથે જ ઘરમાં સકારાત્મકતા પણ રહે છે.

સાવરણી ક્યાં ફેંકવી
સાવરણી ફેંકતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, તેને કોઈના પગ ન લાગે. કારણ કે તેમાં મા લક્ષ્મીનો વાસ છે. ઉપરાંત કોઈ પણ ગટર અને ઝાડની નજીક મૂકવા અને ફેંકવાનું ટાળો. આ વાતનું પણ ધ્યાન રાખો કે, ઝાડુ ક્યારેય ન બાળો. ઝાડુ ફેંકવા માટે ક્યારેય એકાદશી, ગુરુવાર કે શુક્રવાર પસંદ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, ગુરુવાર અને શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે, તેથી આ દિવસે ઝાડુ ફેંકવાની મનાઈ છે.

આ દીવસે ખરીદો સાવરણી
જો તમે ઘરમાં નવી સાવરણી ખરીદવાનું વિચારતા હોવ તો તમારે કૃષ્ણ પક્ષમાં જ સાવરણી ખરીદવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી વિપરીત શુક્લ પક્ષમાં સાવરણી ખરીદવી એ દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે. દિવાળીના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર મંગળવાર, શનિવાર અને અમાવસ નવી સાવરણી ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.

સાવરણી રાખવાનો નિયમ
ઘરમાં સાવરણી બરાબર રાખો. સાવરણીને હંમેશા એવી રીતે રાખો કે, તે કોઈની નજરમાં ન આવે. સાવરણીમાંથી નકારાત્મક ઉર્જા વહે છે, જેના કારણે ધનહાનિ થઈ શકે છે. સાવરણી ક્યારેય ઘરની બહાર ન રાખો. સાવરણી હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખો. જો તમે વાસ્તુના આ નિયમોનું પાલન કરો છો તો જૂની સાવરણીને ફેંકી દો અને નવી સાવરણી ખરીદો.