વિજય રૂપાણી ગુજરાતને બનાવશે દુબઈ અને સિંગાપુર- કરી આ મોટી જાહેરાત

ઘણાં લોકોને એવું થતું હોય છે, કે જેવી ઉચી ઇમારતો વિદેશમાં આવેલ છે એવી ઇમારતો આપણા દેશમાં જ બને તો .. હાલમાં ઘણાં લોકોનું આ સપનું થોડાંક અંશે સાચું પડવાં માટે જઈ રહ્યું છે. હાલમાં આ વાતને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

રાજ્યમાં આવેલ કુલ 5 મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સનાં બાંધકામને મંજુરી આપવામાં આવશે. CM વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તથા ગાંધીનગર એમ કુલ 5 મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે એવી ઇમારતો માટેનાં બાંધકામને માટે હાલમાં અમલી CGDCR-2017 માં ટોલ બિન્ડિંગ–ઊંચી ઇમારતો માટેનાં રેગ્યુલેશન્સ આમેજ કરવાંનો નિર્ણય કર્યો છે.

સમગ્ર રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન નિયમો પ્રમાણે વધુમાં વધુ કુલ 22-23 માળનાં ઊંચા મકાનોને સ્થાને હવે કુલ 70થી પણ વધુ માળની ઇમારતો-આભને આંબતાં જ બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ પણ થઇ શકશે. CM રુપાણીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેનાં જે નિયમો મંજૂર કર્યા છે. એમાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઇઓ પણ રાખવામાં આવી છે.

ટોલ બિલ્ડીંગની આ જોગવાઇમાં કુલ 100 મીટરથી પણ વધુ ઊંચાઇનાં બિલ્ડીંગ્સને પણ લાગુ થશે તથા બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો એટલે કે કુલ લઘુત્તમ પહોળાઇ: ઊંચાઇ 1:9 કે એથી વધુ હોય એને જ લાગુ થશે.આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA તથા GUDAમાં એવાં વિસ્તારમાં અમલ થશે.

જ્યાં હાલમાં CGDCR પ્રમાણે બેઈઝ FSI 1.2 કે તેથી વધુ મળવાપાત્ર છે. આ પ્રકારનાં બિલ્ડીંગ્સની ચકાસણીને માટે સ્પેશિયલ ટેકનીકલ કમિટીની રચના પણ કરવામાં આવશે. સત્તામંડળમાં અરજી કર્યા પછી સ્પેશિયલ ટેકનીકલ કમીટી એટલે કે STC દ્વારા ચકાસણી તથા પરવાનગી માટેની પણ ભલામણ કરવામાં આવશે.

કુલ 30 મીટર પહોળાઇ તેમજ એથી વધારે પહોળાઇનાં DP,TP નાં રસ્તા પર મળવાપાત્ર થશે.કુલ 100-150 મીટર ઉંચાઇને માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ કુલ 2,500 ચોરસ મીટર તથા કુલ 150 મીટરથી પણ વધુ ઉંચાઇને માટે લધુત્તમ પ્લોટ સાઇઝ કુલ 3,500 ચોરસ મીટર મહત્તમ FSI 5.4 મળવાપાત્ર પણ થશે.

જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે અને બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે પણ મળશે. એમાં પ્રિમીયમ FSIનો ચાર્જ કુલ 50% જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીનાં પ્લોટનો જંત્રીદર જ ગણાશે.રહેણાંક, વાણિજ્યક, રીક્રીએશન તેમજ આ કુલ 3 નો ગમે એ પ્રમાણે મીક્સ યુઝ-વપરાશ પણ મળવાપાત્ર થશે.

પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની સુવિધા ફરજીયાતપણે રાખવાની રહેશે. વીન્ડ ટનલ ટેસ્ટ પણ અવશ્ય રહેશે તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ તૈયાર કરવાનાં રહેશે. અહી એ નિર્દેશ કરવો ખુબ જ જરૂરી છે, કે અમદાવાદ સહિત રાજ્યનાં આર્થિક પાટનગર સુરત, વડોદરા, રાજકોટ તેમજ ગાંધીનગર શહેરોનો વિકાસ તથા GDP માં સિંહ ફાળો રહેલો છે.

આટલું જ નહિ પરંતુ શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધારે હોવાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તથા કુદરતી વિકાસને લીધે મકાનોની માંગ પ્રતિદિન વધતી જાય છે, જેથી જમીનોની કિંમત પણ ખુબ જ વધતી જાય છે.શહેરનાં આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે તથા વધારે લોકોનો સમાવેશ કરી શકાય તેની માટે વર્ટીકલ ડેવલપમેન્ટ પણ ખુબ જ જરૂરી રહેલું છે.

જમીનોની કિંમત ઘટે તેમજ મકાનો પણ સસ્તા થતાં સામાન્ય માનવીને પોસાય એવાં એફોર્ડેબલ મકાનો મળી શકે.આવાં વિકાસલક્ષી અભિગમથી CM રુપાણીએ ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોનાં નિર્માણ માટેની પરવાનગી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ કરેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *