ગુજરાત- જન્મેલા બાળકના પેટમાં હતી 720 ઘન સેમીની વિશાળકાય ગાંઠ, જોઈને ડોક્ટરો પણ હેરાન

રાજ્યમાં અવાર-નવાર કોઈને કોઈ સમયે એવી ઘટનાઓ સામે આવતી રહે છે કે, બાળક જન્મતાની સાથે જ કઈ ખોડ-ખાપણ વાળું જન્મ તું હોય છે. પરંતુ આ ઘટનામાં સંપૂર્ણપણે સ્વસ્થ જન્મેલ બાળકને યકૃતમાં કંઇક તકલીફ હોવાના કારણે તેનું સ્તનપાન કરી શકવું ઘણું મુશ્કેલ બની રહ્યું હતું. પ્રિન્ટિંગ ઉદ્યોગમાં કામ કરીને રોજગારી રળતા આ બાળકના પિતા અફરોઝ આલમનું સમગ્ર પરિવાર ચિંતામય બની ગયું.

પરિવારમાં ચિંતા વધી જતા બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. ત્યાં એન્ટિનેટલ સ્કેનમાં યકૃતના ભાગમાં વિશાળકાય ફોલ્લો હોવાનું જણાઇ આવ્યું. જેની સર્જરી અતિ ખર્ચાળ હોવાથી આ ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. છેલ્લે તેઓને સિવિલ હોસ્પિટલના દ્વાર ખટખટાવીને આશાનું કિરણ જાગશે તેવી પ્રતિત થઇ અને તેઓ બાળકને લઇને સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. જ્યા સફળતાપૂર્વક સર્જરી બાદ બાળકને નવજીવન મળ્યું છે.

સિવિલ હોસ્પીટલમાં આ બાળકનું સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. જેના કારણે બાળકને નવજીવન મળી શક્યું છે. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા સોનોગ્રાફી અને પાછળથી સીટી સ્કેન કરવામાં આવતા 720 ઘન સે.મી.ના કદની ગાંઠ હોવાનું જણાઇ આવ્યું. 3 દિવસના નવજાત શિશુમાં ગંભીરતા વચ્ચે તેની સર્જરી કરવામાં ન આવે તો બાળકને ચયાપચનની ક્રિયાઓમાં તકલીફ પડવાની સંભાવના રહેલી હતી. યકૃતની સાથે, પિતાશય, હોજરી, આંતરડા પર દબાણ ઉદભવતા લાંબા સમયે કેન્સરની ગાંઠમાં પરિણમવાની શક્યતાઓ પણ પ્રબળ રહેલી હોય છે. આ તમામ સંભાવનાઓ વચ્ચે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા નવજાત શિશુનું ઓપરેશન કરીને આ ગાંઠ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આજ રોજ આ બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડો.રાકેશ જોશી અને તેમની ટીમ, એનેસ્થેસિયા વિભાગના એસોસીએટ પ્રોફેસર ડૉ. શકુંતલા ગોસ્વામી અને તેમની ટીમ ડૉ. ચિરાગ પટેલના સહીયારા પ્રયાસથી યકૃત સાથે જોડાયેલી ગાંઠને અન્ય ભાગને નુકસાન ન થાય તે રીતે કાઢવામાં આવી. આ ગાંઠને કાઢવામાં આવતા તેનું કદ તબીબોને પણ આશ્ચ્રય પમાડે તેવું હતું. સામાન્ય રીતે યકૃતમાં નાના કદની ગાંઠ જોવા મળતી હોય જેમાં ઓપરેશનની જરૂર પડતી નથી પરંતુ આ ગાંઠનું કદ જોતા અને બાળકની ઉંમર જોતા તેનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી બની રહ્યું, જેમાં આખરે સફળતા મળી.

આ સર્જરી દરમિયાન જાણ થઈ કે, યકૃત ઉપર વિશાળકાય ગાંઠ હતી. જે સ્પષ્ટ રીતે પ્રવાહી ધરાવતા તમામ ઉપલા પેટમાં વિસ્તરી રહી હતી. ગાંઠ અને ગાંઠના આસપાસની તમામ મહત્વપૂર્ણ રચનાઓને ઇજા ન પહોંચે તે રીતે કાળજી રાખીને આ સર્જરી કરવી પડે તેમ હતી. કારણ કે નવજાત શિશુમાં આવી સર્જરી દરમિયાન બિલીયરીમાં પણ નુકસાન પહોંચવાની સંભાવના રહેતી હોય છે. ઉપરાંત જો યકૃતમાંથી રક્તસ્ત્રાવ શરૂ થાય તો તેને રોકવું ખૂબ મુશ્કેલ બની રહે છે. આ તમામ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે બાળકનું અતિ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક થયું. બાળક સહજતાથી તમામ પીડા સહન કરીને આ લડતમાં વિજય મેળવી પીડામુક્ત બન્યું અને તે ખરા અર્થમાં એક લડવૈયો સાબિત થયો. આ સર્જરી બાદ બાળકનું સ્તનપાન શરૂ કરાવવામાં આવ્યુ છે અને બાળક હાલ સરળતાથી સ્તનપાન કરી શકે છે.

બાળકના પિતા અફરોઝ આલમ કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં મેં વિશ્વાસ જ નહીં પરંતુ શ્રધ્ધા રાખીને મારા બાળકની સર્જરી કરાવવાનું નક્કી કર્યુ હતું. અને મારી શ્રધ્ધા અતૂટ રહી અને મને ખરા અર્થમાં ફળી. આજે મારુ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફરી રહ્યું છે, જેની અમારા સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છે જે માટે અમે સિવિલ હોસ્પિટલ અને સરકારશ્રીના અનહદ આભારી છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *